ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર એક તરફ સોલાર ઉર્જા અને રૂફટોપ યોજનાને પ્રોત્સાહન આપીને વધુમાં વધુ ગ્રીન એનર્જી જનરેટ કરવાના દાવા કરે છે, પરંતુ બીજી તરફ વહીવટી નીતિઓના કારણે જ આ સેક્ટર અત્યારે લાઈવ કટોકટીનો સામનો કરી રહ્યું છે. 1 જૂનથી અમલમાં આવેલા એક નવા નીતિગત નિર્ણયના કારણે વડોદરા સહિત સમગ્ર ગુજરાતના સોલાર ઇન્સ્ટોલેશન માર્કેટમાં મોટો હોબાળો મચી ગયો છે.
શું છે નવો નિયમ અને કેમ સર્જાઈ અછત?
રીન્યુએબલ પાવર એસોસિએશન ગુજરાતના પ્રમુખ ધનેશ પટેલે વડોદરા ખાતે પત્રકાર પરિષદને સંબોધતા લાઈવ જણાવ્યું હતું કે, 1 જૂનથી સરકારે સોલાર પેનલ માટે સંપૂર્ણપણે 'મેડ ઇન ઇન્ડિયા' પ્રોડક્ટ્સનો નિયમ સખત રીતે લાગુ કરી દીધો છે. આ નિયમ અંતર્ગત હવે માત્ર રેસિડેન્શિયલ (ઘરગથ્થુ) જ નહીં, પરંતુ મોટા કોમર્શિયલ અને મોલ-ફેક્ટરીઓ માટેના સોલાર પ્રોજેક્ટ્સમાં પણ ભારતમાં જ બનેલા સોલાર સેલનો ઉપયોગ કરવો કાનૂની રીતે ફરજિયાત છે. ભારતમાં હાલમાં સોલાર સેલનું ઉત્પાદન દેશની આંતરિક જરૂરિયાત કરતાં ઘણું ઓછું છે, જેના કારણે બજારમાં કાચા માલની અને સોલાર પેનલની ભારે કૃત્રિમ અને કુદરતી અછત ઊભી થઈ છે.










