વડોદરા શહેરના રિયલ એસ્ટેટ અને બિલ્ડર વર્તુળોમાં ભારે ચકચાર જગાવનાર પાનસુરીયા બંધુઓની સામે કાયદાકીય શિકંજો વધુ મજબૂત બન્યો છે. પાનસુરીયા પરિવારના ૫ સભ્યો સામે હરણી પોલીસ સ્ટેશન ખાતે રૂ. 33.96કરોડની મંજૂરી વિનાની વેચાણ પ્રક્રિયા અને છેતરપિંડી અંગે નવી ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
પાનસુરીયા બંધુઓની મુશ્કેલીમાં મોટો વધારો
ફરિયાદમાં જણાવ્યા અનુસાર, પાનસુરીયા બંધુઓએ એક માન્ય નાણાકીય સંસ્થા પાસેથી પોતાના રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ માટે કરોડો રૂપિયાની પ્રોજેક્ટ લોન મેળવી હતી. જોકે, લોનની શરતો મુજબ પ્રોજેક્ટના યુનિટ્સ વેચતા પહેલા ધિરાણ કરનાર સંસ્થાની પૂર્વ મંજૂરી કે જાણ કરવી ફરજિયાત હતી.લોનની શરતોનો સ્પષ્ટ ભંગ કરીને પાનસુરીયા બંધુઓએ ફરિયાદી નાણાકીય સંસ્થાની જાણ કે મંજૂરી વગર જ પ્રોજેક્ટના 20 યુનિટના સીધા વેચાણ દસ્તાવેજો કરી દીધા હતા, જ્યારે 109 યુનિટના રજિસ્ટર્ડ બાનાખત કરીને ખરીદદારો પાસેથી મોટી રકમ વસૂલ કરી લીધી હતી.
