ગુજરાતમાં શ્રાવણમાસના તહેવારોની સિઝન જામી છે. રાજ્યમાં સાતમ આઠમના મેળાની મોજ ચાલી રહી છે. ત્યારે વડોદરામાં મધ્ય ગુજરાત વીજ કંપની સામે લોકોમાં રોષ ફેલાયો છે. તહેવાર ટાણે જ વીજળી ગુલ થતાં લોકોમાં આક્રોશ જોવા મળ્યો છે. વડોદરાના નરસિંહપુરા ગામના રહિશો દ્વારા વીજ કચેરીએ પહોંચીને વિરોધ કરવામાં આવ્યો હતો. તહેવાર ટાણે જ વીજ પુરવઠો ખોરવાતા લોકોએ હોબાળો કર્યો હતો.
અધિકારી હાજર નહીં હોવાથી લોકો રોષે ભરાયા હતાં













