વડોદરા મહાનગરપાલિકામાટે રાજ્ય સરકાર તરફથી કરોડો રૂપિયાની મોટી રાહતના સમાચાર સામે આવ્યા છે. પાલિકા અને રાજ્ય સરકાર વચ્ચે છેલ્લા 19 વર્ષથી ચાલી રહેલા કરોડો રૂપિયાના પાણીના બિલના વિવાદનો આખરે સુખદ અંત આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે વડોદરા મનપા પ્રત્યે ઉદારતા દાખવીને પાનમ યોજનાના પાણીના બિલના વ્યાજ સહિતની કરોડોની રકમ માફ કરવાનો મોટો નિર્ણય લીધો છે.
5233 કરોડનું મસમોટું બિલ ફટકારવામાં આવ્યું
સમગ્ર મામલાની વિગત એવી છે કે, વડોદરા પાલિકાએ વર્ષો પહેલાં પાનમ યોજનામાંથી શહેરની પ્રજા માટે પાણી લીધું હતું. આ પાણીના વપરાશ પેટે સિંચાઈ વિભાગ દ્વારા વડોદરા મનપાને વ્યાજ અને પેનલ્ટી સાથે અધધ.. 5233કરોડનું મસમોટું બિલ ફટકારવામાં આવ્યું હતું. આટલી મોટી રકમ ચૂકવવી પાલિકાની આર્થિક સ્થિતિ માટે અશક્ય સમાન હતી, જેના કારણે છેલ્લા બે દાયકાથી આ મામલે વિવાદ અને વાટાઘાટો ચાલી રહી હતી.













