• 14 ફેબ્રુઆરીએ કપરાડાની શાળાઓમાં યોજાયો હતો કાર્યક્રમ
  • 3 શાળાના 33 શિક્ષકોને ફટકારાઈ નોટિસ
  • શિક્ષકો દ્વારા માતૃ પિતૃ વંદના કાર્યક્રમ યોજાયો હતો

વલસાડમાં 33 શિક્ષકોને નોટિસ ફટકારાઈ છે. જેમાં આસારામના ફોટાની પૂજા કરવા બદલ નોટિસ ફટકારાઈ છે. 14 ફેબ્રુઆરીએ કપરાડાની શાળાઓમાં કાર્યક્રમ યોજાયો હતો. તેમાં 3 શાળા ના 33 શિક્ષકોને નોટિસ ફટકારાઈ છે. શિક્ષકો દ્વારા માતૃ પિતૃ વંદના કાર્યક્રમ યોજાયો હતો.

જિલ્લાના કપરાડાના 33 શિક્ષકોને નોટિસ ફટકારાઈ

આશારામ બાપુના ફોટાની પૂજા આરતી કરવા બદલ શિક્ષકોને નોટિસ ફટકારી છે. વલસાડ જિલ્લાના કપરાડાના 33 શિક્ષકોને નોટિસ ફટકારાઈ છે. 14 મી ફેબ્રુઆરીએ કપરાડાની કેટલીક શાળાઓમાં આશારામના ભકતો દ્વારા માતૃ પિતૃ વંદના કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં પૂજ્ય આશારામજી બાપુના લખાણ સાથે બેનરો અને ફોટા લગાવ્યા હતા.

આશારામના ફોટાની પૂજા પણ કરાઈ હતી

આશારામના ફોટાની પૂજા પણ કરાઈ હતી. તેમાં વીડિયો વાઇરલ થયા બાદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા તપાસ શરૂ કરાઈ હતી. શિક્ષકો દ્વારા કરાયેલ લેખિત ખુલાસા ગ્રાહ્ય ના રાખી રૂબરૂ બોલાવાયા છે. તેમાં 3 શાળાના 33 શિક્ષકો વિરુદ્ધ આશારામ મામલે કાર્યવાહીથી શિક્ષકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.


  • Follow us on: