- સી. જે. ચાવડા ગુજરાત સરકારના અધિકારી રહી ચૂક્યા છે
- પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના સચિવ રહી ચૂક્યા છે
- ડૉ. સી. જે. ચાવડા છેલ્લા 20 વર્ષથી વધુના સમયથી રાજકારણમાં સક્રિય
ગુજરાત વિધાનસભાની પાંચેય બેઠકો પર ભાજપના ઉમેદવારોનો વિજય થયો હતો. સી.જે ચાવડા,અર્જુન મોઢવાડિયા,ચિરાગ પટેલ, અરવિંદ લાડાણી અને ધર્મેન્દ્રસિંહે આજે વિધાનસભાના ધારાસભ્યપદે શપથ ગ્રહણ કર્યા. ગુજરાતમાં ત્રીજા તબક્કાની લોકસભાની ચૂંટણીની સાથે ધારાસભ્યોની પેટા ચૂંટણી પણ યોજાઈ હતી. જેમાં ડૉ. સી.જે.ચાવડાનો વિજય થયો હતો કોણ છે વિજાપુરથી ડો.સી.જે.ચાવડા જાણો લેખાજોખા. ગુજરાતમાં ત્રીજા તબક્કાની લોકસભાની ચૂંટણીની સાથે ધારાસભ્યોની પેટા ચૂંટણી પણ યોજાઈ હતી.
વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ શપથ લેવડાવ્યા
જેમાં ડૉ. સી.જે.ચાવડા અને અર્જુન મોઢવાડિયા આજે ધારાસભ્ય તરીકેના શપથ લીધા છે વિજાપુરથી સી.જે. ચાવડા, પોરબંદરથી અર્જુન મોંઢવાડિયા, ખંભાતથી ચિરાગ પટેલ, માણાવદરથી અરવિંદ લાડાણી અને વાઘોડિયા બેઠકના ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ આજે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ શપથ લેવડાવ્યા છે.
2017માં ગાંધીનગર ઉત્તર બેઠક પરથી ચૂંટણી અને 2022માં વિજાપુરની ચૂંટણી જીત્યા
સી. જે. ચાવડા ગુજરાત સરકારના અધિકારી રહી ચૂક્યા છે અને પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના સચિવ રહી ચૂક્યા છે. તેઓ છેલ્લા 20 વર્ષથી રાજકારણમાં સક્રિય છે. જો કે તેઓએ કોંગ્રેસ પક્ષની સાથે જ રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. મહેસાણા જિલ્લા પંચાયત, વિધાનસભા અને લોકસભાની ચૂંટણી લડી ચૂક્યા છે. 2017માં ગાંધીનગર ઉત્તર બેઠક પરથી ચૂંટણી અને 2022માં વિજાપુરની ચૂંટણી જીત્યા. તેમણે ફેબ્રુઆરી માસમાં કેસરિયો ધારણ કરી લીધો હતો.
મહેસાણા જિલ્લા પંચાયત, વિધાનસભા અને લોકસભાની ચૂંટણી લડી ચૂક્યા છે
ગુજરાત સરકારના અધિકારી તરીકે ફરજ બજાવી ચૂકેલા અને પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના સચિવ રહી ચૂકેલા ડૉ. સી. જે. ચાવડા છેલ્લા 20 વર્ષથી વધુના સમયથી રાજકારણમાં સક્રિય છે. જ્યારથી રાજકારણમાં આવ્યા ત્યારથી કોંગ્રેસમાં જ રહ્યા હતા. મહેસાણા જિલ્લા પંચાયત, વિધાનસભા અને લોકસભાની ચૂંટણી લડી ચૂક્યા છે.