લવ જેહાદ વોટ જેહાદ જેવા શબ્દો તો સંભાળ્યા હશે પરંતુ આજે સંદેશ ન્યૂઝ એક એવા જેહાદ વિશે આપને માહિતગાર કરી રહ્યું છે જેનાથી લગભગ ગુજરાતીઓ અજાણ હશે.સંવિધાન ઉદ્યોગ કે ધંધા રોજગાર માટે તમામને મંજૂરી આપવામાં આવે છે પરંતુ ભળતા નામ કે એક ધર્મના નામનો ઉપયોગ કરી ધંધા રોજગાર અન્ય કોઈ કરી રહ્યું છે આમ તો આ બાબતનો વિરોધ યુપી હોય કે સુરત તમામ જગ્યા પર થયો છે પરંતુ કદાચ સરકાર આ મામલે સતર્ક નથી.
આ વિવાદ પહેલેથી જ છે
થોડા સમય પહેલા યુપીમાં કાવડ યાત્રા નીકળવાની હતી એ પહેલા વિવાદ સામે આવ્યો હતો કે યાત્રાના રૂટ પર રહેલી તમામ દુકાનોમાં દુકાનદાર ની ઓળખ સાથે નું આઇડી રાખવામાં આવે અને બાદમાં આ મામલે વિવાદ થયો હતો તો નવરાત્રિ પહેલા સુરતના કોર્પોરેટર પણ આ માંગ કરી હતી.આ જ મામલે સંદેશ ન્યૂઝ દ્વારા તપાસ કરવામાં આવી જેમાં અનેક જગ્યા પર આવી બાબતો સામે આવી છે જેમાં હોટલના નામ તો હિન્દુ ધર્મ પર હોય કે પછી એવા ભળતા નામ રાખવામાં આવ્યા હતા કે જોઈ મે કદાચ સમજવું મુશ્કેલ થઈ જાય કે આખરે હોટેલ કોમાં દ્વારા ચલાવવામાં આવે છે.

દરેક હોટલોમાં આવા કાંડ
નારોલથી બરોડા હાઇવે પર આગળ ચાલો એટલે ગોપાલ સહયોગ હોટેલ આવે છે આમ તો ગોપાલ એટલે ભગવાન કૃષ્ણના એક સ્વરૂપનું નામ છે પરંતુ જ્યારે હોટેલમાં અંદર જઈ જોયું તો લઘુમતી દ્વારા સંચાલન કરવામાં આવતું હતું એટલું જ નહિ પેમેન્ટ કરવામાં આવ્યું ત્યારે લઘુમતી વ્યક્તિ નાં નામે પેમેન્ટ થઈ રહ્યું હતું આવું જ થયું આજ હાઇવે પર આવેલી હોટેલ સન સિટીમાં સન એટલે કે લગભગ દરેક હિંદુ સવારમાં સૂર્ય ને નમસ્કાર કરે છે હવે આ નામે એક લઘુમતી દ્વારા સંચાલન કરવામાં આવે છે અને પેમેન્ટ કરો તો તેમાં પણ લઘુમતી નાં નામે પેમેન્ટ થાય છે.
લઘુમતી સમાજ કરે છે ધંધો
હોટેલ સ્વાગત એટલે કે ભળતું નામ છે આમ તો હિન્દુ નામ છે પરંતુ ભળતું નામ છે આ હોટેલ નાં સંચાલક પણ લઘુમતી સમાજ ના લોકો છે તેમના દ્વારા જ સંચાલન કરવામાં આવે છે ત્યારે હોટેલ નું નામ જોઈ પહેલી નજરે તો કોઈ પણ ને લાગે કે હોટેલ સંચાલન હિન્દુ દ્વારા થતું હશે પરંતુ જ્યારે હોટેલ માં પ્રવેશે ત્યારે જ તેને અંદાજ આવે કે આખરે કોના દ્વારા સંચાલન કરવામાં આવી રહ્યું છે ત્યારે સવાલ એ ઉઠે છે કે આખરે ધંધો કરવા માટે દેશનો કાયદો બધા ને મંજૂરી આપે છે તો આખરે કેમ ભળતા નામ કેમ ધંધો કરવામાં આવે છે.
જલારામ ખમણના નામે ધંધો
તો આ તો વાત થઈ હાઇવેની જ્યાં આ પ્રકારે ધંધો કરવામાં આવે છે પરંતુ શહેરી વિસ્તાર અમદાવાદમાં પણ સ્થિતિ આવી જ છે.પાલડી કોઠાવાલા ફ્લેટ બહાર જ ભગવાન જલારામના નામે ખમણનો વેપાર કરવામાં આવે છે જે પણ એક લઘુમતી દ્વારા કરવામાં આવી રહ્યો છે.છેલ્લા ઘણા સમયથી અહી ખમણ ઢોકળા હિન્દુ સમાજ ના દેવ જલારામનાં નામે વેપાર કરવામાં આવી રહ્યો છે.લોકો પણ આ બાબતે અજાણ હોય છે ભગવાનનાં નામ વાચી ખાવા જાય છે પરંતુ હકીકત થી અજાણ હોય છે.
નક્કર કાયદો બનાવવામાં આવ્યો નથી
આ વિષય ને લઈ ને ગુજરાત હોય કે યુપી અનેક વખત વિવાદ થઈ ચૂક્યા છે પરંતુ આ મામલે કોઇ નક્કર કાયદો બનાવવામાં આવ્યો નથી ત્યારે સવાલ એ પણ ઉઠી રહ્યો છે કે આખરે આ ઇકોનોમિક જેહાદ કેમ કરવાનો ? જ્યારે દેશનું સંવિધાન તમામ ધર્મ સમાજ જાતિ ને રોજગાર ની મંજુરી આપે છે તો પછી ભળતા ને કે અન્ય ધર્મ નાં નામે રોજગાર કેમ ? સરકાર આ મામલે કોઇ પગલાં લેશે તેને લઈ જે પણ સવાલ ઉઠી રહ્યો છે.













