- રાજ્યપાલને પત્ર લખી યોગ્ય ન્યાય માટે કરી માગ
- સરકારે અગાઉની ઘટનાઓમાં પણ વચનો જ આપ્યાઃ વાઘેલા
- બીજી ઘટના બને ત્યાં સુધી સરકાર સુઇ જાય છે
રાજકોટ અગ્નિકાંડને લઈ શંકરસિંહ વાઘેલાએ પત્ર લખ્યો છે. જેમાં શંકરસિંહ વાઘેલાએ રાજ્યપાલને પત્ર લખ્યો છે. તેમાં રાજ્યપાલને પત્ર લખી યોગ્ય ન્યાય માટે માગ કરી છે. તેમજ શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું છે કે સરકારે અગાઉની ઘટનાઓમાં પણ વચનો જ આપ્યા હતા. બીજી ઘટના બને ત્યાં સુધી સરકાર સુઇ જાય છે.


ગેમ ઝોનમાં આગની ઘટનામાં અત્યાર સુધી 30 લોકોએ જીવ ગુમાવ્યો
રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં આગની ઘટનામાં અત્યાર સુધી 30 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ ગોઝારી દુર્ઘટનાને લઈને રાજકોટ બાર એસોસિએશન દ્વારા મોટો નિર્ણય લીધો છે. એસોસિએશનના પ્રેસિડેન્ટ બકુલ રાજાણીએ જણાવ્યું કે, 'મૃતકોની આત્માને શાંતિ મળે તે માટે અમે નિર્ણય લીધો છે કે કોઈ પણ વકીલ આરોપીનો કેસ લડશે નહીં. મને આશા છે કે 3500 વકીલો જોડાશે. તેમ છતાં જો કોઈ વકીલ બહારથી આરોપીઓનો કેસ લડશે તો તેમને રોકવા માટે પણ અમે પૂરતા પ્રયાસ કરીશું. તેમજ જવાબદાર અધિકારીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવવી જોઈએ.'
રાજકોટના વકીલો આરોપીઓ તરફથી કેસ લડશે નહીં
રાજકોટ બાર એસોસિએશનના વાઈસ પ્રેસિડન્ટ સુરેશ ફળદુએ જણાવ્યું હતું કે, 'રાજકોટ બાર એસોસિએશન દ્વારા એક ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. જેમાં રાજકોટ બાર એસોસિએશનમાં જોડાયેલા તમામ સભ્યોને જે આરોપીઓ છે, જવાબદાર છે તેવા કોઇપણ આરોપી તરફથી રાજકોટ બાર એસોસિએશનના સભ્યોએ વકીલાત કરવાની નથી. કોઈપણ પ્રકારના લાયસન્સ વગર આટલા વર્ષોથી આ ગેમ ઝોન ચાલુ હતું અને અધિકારીઓ પણ પોતાના પરિવારને લઈને ગયા છે, ત્યારે આ અધિકારીઓને પણ આવું દેખાતું નથી કે આમા કોઈપણ પ્રકારની પરવાનગી કે લાયસન્સ નથી. હમણા અમુક લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.