સુરતમાં કડોદરાના આંત્રોલી ખાતે હત્યાનો બનાવ સામે આવ્યો છે. મિત્રએ છરીના ઘા મારીને મિત્રની હત્યા કરતા ચકચાર મચી જવા પામી છે. ચાર મિત્રો મામાદેવના દર્શન કરવા માટે ગયા હતાં. જ્યાં બોલાચાલી થતાં હરિલાલ નામના યુવકની છરીના ઘા મારીને હત્યા કરી દેવાઈ હતી. પોલીસે આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યાં છે.
છરીના ઘા મારી મિત્રએ જ કરી મિત્રની હત્યા













