છઠ પુજા પર સુરતીઓ માટે ખુશીના સમાચાર આવ્યા છે. કારણ કે, સુરતથી મોરિશિયસ સુધીની મુસાફરી હવે શક્ય બનશે. ઇન્ડિગો એરલાઇનની ફ્લાઇટથી સિંગલ પીએનઆર પર વાયા બેંગલુરુ મોરશિયસ જઈ શકાશે, જેનું બુકિંગ પણ એરલાઇને શરૂ કર્યું છે.
સુરતથી મોરેશિયસ જવા માટે હવે મળશે ફ્લાઈટ
- સુરત-મોરેશિયસ વાયા બેંગ્લુરુની ફ્લાઈટ થશે શરૂ
- 4 ડિસેમ્બરથી ઈન્ડિગોની ફ્લાઈટ કરશે ટેકઓફ
- સપ્તાહમાં 4 દિવસ ફ્લાઈટનું બુકિંગ શરૂ કરાયું
- મોરેશિયસ પહોંચવામાં 14 કલાક જેટલો સમય લાગશે
સપ્તાહમાં 4 દિવસ ફ્લાઈટનું બુકિંગ શરૂ કરાયું
નવા વર્ષની શરૂઆતમાં સુરતીઓને નવી ભેટ મળી છે. સુરતથી મોરેશિયસ માટે હવે ફ્લાઇટ શરૂ થવા જઇ રહી છે. હવે સુરત-મોરેશીયસ વાયા બેંગ્લુરૂની ફલાઈટ શરૂ કરશે. ઈન્ડિગો એરલાઈન્સ 4 ડિસેમ્બરથી આ ફ્લાઇટ ટેક ઓફ કરશે. સપ્તાહમાં ચાર દિવસ ફ્લાઇટનું બુકિંગ શરૂ કરવામાં આવ્યું છે. સુરતથી મોરેશિયસ પહોંચતા 14 કલાક જેટલો સમય લાગશે. આ સાથે સુરતથી બેંગ્લુરુનો ટ્રાવેલિંગ ટાઈમ 1 કલાક 50 મિનિટ હશે. બેંગ્લુરુ એરપોર્ટ પર 6 કલાક 25મિનિટનો લેઓવર ટાઇમ જ્યારે બેંગ્લુરુથી મોરેશિયસનો 5 કલાક 55 મિનિટનો ટ્રાવેલ ટાઇમ લાગશે.
અગાઉ ગુજરાતનાં ચાર મોટાં શહેરો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ એરપોર્ટથી વિન્ટર ફ્લાઈટ્સ શરૂ થનાર છે. જેમાં સુરત અને રાજકોટ એરપોર્ટે વિન્ટર ફ્લાઈટ શિડ્યૂલ જાહેર કર્યું હતું. સુરતથી બેંગકોક સહિત 8 નવી ફ્લાઇટ શરૂ થશે તો રાજકોટથી ડાયરેક્ટ હૈદરાબાદની સીધી જ ફ્લાઇટ શરૂ કરવાના સમાચાર હતા.