સુરતના વારિયાવ નજીક 2 વર્ષનો બાળક ગટરમાં પડવાના કિસ્સામાં આખરે બાળકનો 24 કલાક બાદ મૃતદેહ મળી આવ્યો છે. બીજા દિવસે પણ બાળકની ભાળ ન મળતા આખરે NDRF ની ટીમ દ્વારા બાળકની શોધખોળ શરુ કરાઈ હતી. વડોદરા થી NDRF ની ટીમ સુરત પહોંચી હતી અને NDRF ની એક ટીમ સુરત ઓપરેશન હાથ ધર્યું હતુ. આખરે બાળકનો મૃતદેહ મળી આવ્યો છે. 


સુરતના ન્યૂ કતારગામ વિસ્તારમાં 5 ફેબ્રુઆરીના સાંજના 5.30ની આસપાસ બે વર્ષનો કેદાર નામનો બાળક 3 ફૂટની ખુલ્લી ગટરમાં પડી ગયો હતો. આઈસ્ક્રીમ લેવા ગયેલો બાળખ ગટરમાં પડ્યો હતો. ઘટનાને પગલે પરિવારજનો અને સ્થાનિકો દ્વારા બાળકની શોધખોળ હાથ ધરવામાં આવી હતી, પરંતુ તે ન મળતાં ફાયર વિભાગને જાણ કરાઈ હતી. જોકે, એએમસી દ્વારા પણ કંઈ ન થતા આખરે NDRF ની મદદ લેવાઈ હતી. બાળકનો 24 કલાક બાદ મૃતદેહ મળી આવતા સુરત 'આપ'ના મહિલા નેતાએ માનવતા સાવ નેવે મુકી છે.


સુરત 'આપ'ના મહિલા નેતાએ માનવતા સાવ નેવે મુકી!

બાળના મૃતદેહ મળ્યાને લઇ સુરત 'આપ'ના મહિલા નેતા વોર્ડ નંબર 7ના કોર્પોરેટર દિપ્તિ બેન સાકરિયાએ માનવતા સાવ નેવે મુકી હોય તેમ મનફાવે તેમ જવાબ આપી રહ્યા છે. તેમને પુછવામાં આવ્યું કે બાળક મળી આવ્યું છે તો તેમે શું કહેશો? તેવામાં દિપ્તિ બેન સાકરિયાએ કહ્યું હતું કે, "બાળક મળી આવ્યું છે એ આપડા માટે હર્ષ છે કે ચલો 24 કલાકની મહેનત બાદ બાળક મળી આવ્યું એ હાસકારો છે" શું આવા નેતાઓ આ રીતે જનતાની સેવા કરશે? બાળકના મોતના શોક હોવાને બદલે હર્ષની લાગણી કેમ અનુભવી રહ્યા છે? આવુ જ બુદ્ધિનું પ્રદર્શન કરવાનું હોય તે પહેલા બોલવામાં ભાન રાખવું જોઇએ. બાળકોના પરિવારજનોના શોક પાછળ જાણે વિરોધ પક્ષના નેતા પાટલ બેન સાકરિયા બોલવાનું ભાન ન હોય તેવ જવાબ આપી રહ્યા છે. આવા તંત્રના પાપે અનેક બાળકો મોતના ભોગ બને તેવા બાળકના પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે. બાળકના પરિવારજનોની માગ છે કે, સુરત મનપા સામે હત્યાનો ગુનો દાખલ કરો. 

સુરત મનપા સામે હત્યાનો ગુનો દાખલ કરોઃ પરિવારજન

ગટર ઢાંકણા વગરની ખુલ્લી હોવાના કારણે બાળક અંદર ગરકાવ થયો હતો. બાળક ગટરમાં પડ્યા બાદ એસએમસીએ ગટર પર ઢાંકણું લગાવ્યું હતું. તંત્રના પાપે શહેરીજનોની જિંદગી દાવ પર લાગી છે. ફાયર બ્રિગેડની ટીમે આખી રાત રેસ્ક્યુ ઓપરેશન ચલાવ્યુંહ તું. રાતભર શોધખોળ બાદ પણ કેદાન મળ્યો ન હતો. સુરત મહાનગરપાલિકાના પાપે માસૂમનું મોત થયાનું પરિવાર સહિતના લોકોએ કર્યો વિરોધ કર્યો હતો. સુરત મનપા સામે હત્યાનો ગુનો દાખલ કરવા માગ કરવામાં આવી છે.

શહેરના મેયર ક્યાં છે?

તો બીજી તરફ, આટલી ગંભીર ઘટના બાદ પણ સુરતના મેયર ગાયબ રહ્યા હતા. 24 કલાક બાદ પણ મેયર ઘટના સ્થળે ભટક્યા ન હતા. કોર્પોરેશનની બેદરકારીના કારણે આ ઘટના બની હતી. તંત્રની બેદરકારીએ બનેલી ઘટના બાદ પણ અધિકારીઓ ફરક્યા સુદ્ધા નહીં. એક પણ અધિકારી ન આવતા લોકોએ હંગામો મચાવ્યો હતો. આવામાં સુરતના મેયરને કોઈ શરમ છે કે નહીં. મેયર હજુ સુધી ઘટના સ્થળે પહોંચ્યા ન હતા. આ દરમિયાન મેયર ક્રિકેટ મેચ માટે નેટ પ્રેક્ટિસ કરી રહ્યાં હતા. સુરત મનપાની ભુલના કારણે બાળક ગટરમાં પડ્યો છે, પરંતું સુરત શહેરને મેયરે રામ ભરોસે છોડી દીધું છે. 

  • Follow us on: