કથાકાર મોરારિબાપુએ તાપી જિલ્લાના સોનગઢમાં આયોજિત એક કથા દરમિયાન દાવો કર્યો હતો કે રાજ્યની સરકારી શાળાઓના શિક્ષકો ધર્મ પરિવર્તનની પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા છે. આ ટિપ્પણી બાદ ગુજરાતના શિક્ષણમંત્રી પ્રફુલ પાનશેરિયાએ આ દાવાઓની તપાસ કરવાનું વચન આપ્યું છે. હવે ધર્મ પરિવર્તન મુદ્દે કથાકાર મોરારિબાપુનો આક્રોશ જોવા મળી રહ્યો છે.
કથાકાર મોરારિબાપુની તાપી જિલ્લાના સોનગઢમાં રામકથા ચાલી રહી છે. રામકથા દરમિયાન એક શ્રોતા દ્વારા આદિવાસી વિસ્તારમાં ભણતરના નામે ધર્મ પરિવર્તન કરાવવામાં આવી રહ્યું હોવા અંગેની ચિંતા વ્યક્ત કરતા આવા વિસ્તારોમાં વધુ શાળાઓ બને અને સારુ શિક્ષણ મળે તો આ પ્રક્રિયા રોકી શકાય તેમ જણાવ્યું હતું. ત્યારે આજ રોજ તાપીના સોનગઢમાં રામકથાના પાંચમા દિવસે મોરારિબાપુ ગદગદ થયા હતા. ધર્મ પરિવર્તન મુદ્દે મોરારિબાપુનો આક્રોશ જોવા મળ્યો હતો.













