• વલસાડ શહેરમાં બની રહેલ ઓવરબ્રિજનું કામ બંધ હાલતમાં
  • છેલ્લા ત્રણ વર્ષથી બની રહ્યો છે ઓવરબ્રિજ
  • અંદાજે 60 કરોડના ખર્ચે બની રહ્યો છે ઓવરબ્રિજ

વલસાડ શહેરમાં બની રહેલો ઓવરબ્રિજ છેલ્લા ત્રણ વર્ષથી બની રહ્યો છે અંદાજિત 60 કરોડના ખર્ચે બનતો ઓવરબ્રિજનું કામ એક વર્ષથી બંધ રહેતા શહેરીજનો ત્રાહિમામ પોકાર ઉઠયા છે. ડીએફસીસીના અંડરમાં આવતો આ ઓવરબ્રિજ ક્યારે બનશે એની વલસાડ વાસીઓ રાહ જોઈ રહ્યા છે.

સ્થાનિકોને હાલાકીનો કરવો પડે છે સામનો

રાજ્યમાં વિકાસના કામો ઝડપથી થાય રાજ્ય સરકાર પણ એ પ્રયાસો કરી રહી છે કે વિકાસ વધુ પડતો થાય અને લોકોને સુવિધાઓ મળે પરંતુ વલસાડમા ક્યાંક વિકાસ અટક્યો છે.વલસાડ શહેરના લોકોનો આક્ષેપ છે કે રેલવે વિભાગે રેલવેની સુવિધા પૂર્ણ કરવા રેલવેનો બ્રિજ બનાવી લીધો અને એને 6 મહિનાથી શરુ પણ કરી દીધો પરંતુ બીજી બાજુ રેલવે વિભાગ દ્વારા વલસાડ શહેરને જોડતો બ્રિજ બનાવવાને બદલે એનું કામ અધૂરું મૂકી દેતા લોકો પારાવાર મુશ્કેલીમાં મુકાયા છે.


બ્રિજ નહી બનતા લોકોને મુશ્કેલી

વલસાડ શહેરમાં અવરજવર કરવા માટે મુખ્ય બે બીજ બની રહ્યા છે જેમાં એક બ્રિજ આર એન્ડ બી વિભાગ દ્વારા બની રહ્યો છે તો બીજો રેલવે વિભાગ દ્વારા બનતો બ્રિજ એક વર્ષથી કામ અટક્યું છે જેને લઇ શાળા એ જતા બાળકો, નોકરિયાત વર્ગ ના લોકો, તેમજ હોસ્પિટલમાં દર્દીઓને લઇ જતી એમ્બયુલ્સ ટ્રાફિક જામને કારણે અટવાઈ જાય છે.અને સમયનો બગાડ થાય છે.બ્રિજનો સમાન રસ્તા પર પડેલ હોય જેણે કારણે સિંગલ રોડ ચાલુ હોવાથી શહેરના મુખ્ય માર્ગ પર ટ્રાફિક જામના દશ્યો સર્જાય છે અને છેલ્લા એક વર્ષથી લોકોના માથાનો દુખાવો સમાન બન્યો છે આ બ્રિજ.

ઝડપી વિકાસ થાય તે જરૂરી બન્યું છે

વલસાડ વાસીઓ છેલ્લા એક વર્ષથી ઓવરબ્રિજ નું કામ બંધ હોવાથી હેરાન પરેશાન થઇ ચૂક્યા છે રોજ થતી ટ્રાફિક સમસ્યા એ લોકો માટે માથા નો દુખાવો બન્યો છે ત્યારે અધિકારીને સરકાર દ્વારા આ સમગ્ર બાબત પર ધ્યાન આપે એ ખુબ જરૂરી બન્યું છે.


  • Follow us on: