- અમદાવાદ-દાનાપુર અને ગાંધીધામ-દાનાપુર વચ્ચે વિશેષ ભાડામાં બે સ્પેશિયલ ટ્રેન દોડાવાશે
- ટ્રેન નંબર 09413/09414 ગાંધીધામ – દાનાપુર – અમદાવાદ સ્પેશિયલ ટ્રેન કુલ 2 ટ્રીપ કરશે
- ટ્રેન નંબર 09413/09421 માટે ટિકિટનું બુકિંગ 18 એપ્રિલ, 2024થી IRCTC વેબસાઇટ પર
ઉનાળાની ઋતુમાં મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ અમદાવાદ-દાનાપુર અને ગાંધીધામ-દાનાપુર વચ્ચે વિશેષ ભાડામાં બે સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય કર્યો છે. જેની વિગતો નીચે મુજબ છે.
ગાંધીધામ – દાનાપુર – અમદાવાદ સ્પેશિયલ ટ્રેન કુલ 2 ટ્રીપ કરશે
ટ્રેન નંબર 09413/09414 ગાંધીધામ – દાનાપુર – અમદાવાદ સ્પેશિયલ ટ્રેન કુલ 2 ટ્રીપ કરશે. જેમાંથી ટ્રેન નંબર 09413 ગાંધીધામ-દાનાપુર સ્પેશિયલ ગાંધીધામથી શુક્રવાર, 19 એપ્રિલ, 2024ના રોજ 11.20 કલાકે ઉપડશે અને બીજા દિવસે 20.30 કલાકે દાનાપુર પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09414 દાનાપુર - અમદાવાદ સ્પેશિયલ 20 એપ્રિલ, 2024 શનિવારના રોજ દાનાપુરથી 23.30 કલાકે ઉપડશે અને બીજા દિવસે 07.30 કલાકે અમદાવાદ પહોંચશે.
ટ્રેનમાં થર્ડ એસી, સ્લીપર ક્લાસ અને જનરલ ક્લાસના કોચ સામેલ હશે
રૂટ પરના બંને તરફના સ્ટેશનો પર આ ટ્રેન આણંદ, છાયાપુરી, રતલામ, નાગદા, ઉજ્જૈન, મકસી, સંત હિરદારામ નગર, બીના, સાગર, દમોહ, કટની મુદ્વારા, સતના, માણિકપુર, પ્રયાગરાજ છિવકી, પં. દીન દયાલ ઉપાધ્યાય, બક્સર ખાતે ઉભી રહશે અને અરાહ સ્ટેશનો પર ઊભી રહેશે. આ ટ્રેનમાં થર્ડ એસી, સ્લીપર ક્લાસ અને જનરલ ક્લાસના કોચ સામેલ હશે. ટ્રેન નંબર 09413 ગાંધીધામ-દાનાપુર સ્પેશિયલને સામખિયાળી, ધ્રાંગધા, વિરમગામ અને અમદાવાદ સ્ટેશન પર વધારાનું સ્ટોપેજ આપવામાં આવ્યું છે.
ટ્રેન નંબર 09413 અને 09421 માટે ટિકિટનું બુકિંગ 18 એપ્રિલ, 2024થી ઓનલાઈન બુકીંગ
ટ્રેન નંબર 09413 અને 09421 માટે ટિકિટનું બુકિંગ 18 એપ્રિલ, 2024થી પેસેન્જર રિઝર્વેશન સેન્ટર્સ અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનના ઓપરેટિંગ સમય, સ્ટોપ અને સ્ટ્રક્ચર વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.