- વડોદરા - રતપુર સેક્શનના ગોઠાજ સ્ટેશન પર નોન ઇન્ટરલોકિંગનું કામ ચાલુ
- અમદાવાદ - વડોદરા ઈન્ટરસિટી ટ્રેન નં. 19036, 19035 રદ કરવામાં આવી
- વડોદરા - અમદાવાદ મેમુ સ્પેશિયલ ટ્રેન નં. 09495, 09496 રદ કરવામાં આવી
વડોદરા પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝન પર વડોદરા - રતપુર સેક્શનના ગોઠાજ સ્ટેશન પર નોન ઇન્ટરલોકિંગ કાર્ય ચાલુ હોવાને કારણે 21 એપ્રિલે અમદાવાદ ડિવિઝનની કેટલીક ટ્રેનોને અસર થશે. આ ટ્રેનોમાં સંપૂર્ણપણે રદ કરવામાં આવી છે તે ટ્રેનો અમદાવાદ – વડોદરા ઇન્ટરસિટી ટ્રેન નં. 19036, વડોદરા - અમદાવાદ ઇન્ટરસિટી ટ્રેન નંબર 19035, વડોદરા – અમદાવાદ મેમુ સ્પેશિયલ ટ્રેન નં. 09495 રદ કરવામાં આવી છે.
આ ટ્રેનો પણ રદ કરવામા આવી
તેમજ અમદાવાદ – વડોદરા મેમુ સ્પેશિયલ ટ્રેન નં. 09496, અમદાવાદ – આણંદ મેમુ સ્પેશિયલ ટ્રેન નં. 09400, આણંદ – અમદાવાદ મેમુ સ્પેશિયલ ટ્રેન નં. 09399, અમદાવાદ – વડોદરા મેમુ સ્પેશિયલ ટ્રેન નં. 09328, વડોદરા અમદાવાદ મેમુ સ્પેશિયલ ટ્રેન નં. 09273 અને અમદાવાદ – વડોદરા મેમુ સ્પેશિયલ ટ્રેન નં. 09312નો સમાવેશ થાય છે.
આંશિક રીતે રદ થનારી ટ્રેનોમાં મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેન
તેમજ રવિવારે જ આંશિક રીતે રદ થનારી ટ્રેનોમાં મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેન નં. 22953 વડોદરા સ્ટેશન સુધી પહોંચશે. આ ટ્રેન વડોદરા- અમદાવાદ વચ્ચે આંશિક રદ રહેશે. અમદાવાદ-વલસાડ ગુજરાત ક્વીન એક્સપ્રેસ ટ્રેન નં. 19034 વડોદરા સ્ટેશનથી શરૂ થશે.
ટ્રેન અમદાવાદ-વડોદરા વચ્ચે આંશિક રીતે રદ રહેશે
આ ટ્રેન અમદાવાદ-વડોદરા વચ્ચે આંશિક રીતે રદ રહેશે. જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેન નંબર 22960 અમદાવાદ સ્ટેશન સુધી જ જશે. આ ટ્રેન અમદાવાદ-વડોદરા વચ્ચે દોડે છે જે આંશિક રીતે રદ કરવામાં આવી છે.
વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેન ક્યાંથી ઉપડશે
વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેન નં. 22959 અમદાવાદ સ્ટેશનથી શરૂ થશે. આ ટ્રેન વડોદરા-અમદાવાદ વચ્ચે આંશિક રીતે રદ રહેશે. ટ્રેન વડોદરા - અમદાવાદ મેમુ સ્પેશિયલ (નં. 09311) આણંદ સ્ટેશન સુધી જશે અને આણંદ અને અમદાવાદ સ્ટેશન વચ્ચે આંશિક રીતે રદ રહેશે.