અમદાવાદમાં વધુ એકવાર હત્યાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. આધેડ મહિલાની બે અજાણ્યા શખ્સોએ કરપીણ હત્યા કરી નાખી હતી.હત્યા કરીને ગુનેગારો નાસી ગયા હતા.સમગ્ર ઘટનાને પગલે લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. અમદાવાદમાં અવારનવાર થતી હત્યાને પગલે શહેરમાં ક્રાઈમનો ગ્રાફ વધી રહ્યો છે.જેના લીધે શહેરનો કાયદો અને વ્યવસ્થા કથળી રહી હોય તેમ જણાઈ રહ્યું છે.


વાડજમાં મહિલાની હત્યા થઈ

પ્રાપ્ત માહિતી મુજબ અમદાવાદમાં જૂના વાડજમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે.વાડજમાં ફુલીબેન ઓડ નામની મહિલા રહેતી હતી.જે જૂના વાડજ ઓડના ટેકરા પાસે 2 અજાણ્યા શખ્સો મહિલાની હત્યા કરી નાખી હતી. જે બાદ આધેડ મહિલાની હત્યા કરીને 2 હત્યારાઓ ફરાર થઈ ગયા હતા. તો મહિલાની હત્યાને પગલે સમગ્ર વિસ્તારમાં ડરનો માહોલ વ્યાપી ગયો હતો.હત્યા કયા કારણોસર કરવામાં આવી તેનું કારણ હજુ સુધી જાણી નથી શકાયું

મહિલાના હત્યારા ફરાર થયા

જૂના વાડજ ઓડના ટેકરા પાસે આધેડ મહિલાની હત્યાને પગલે વાડજ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. મહિલાની હત્યાનો ગુનો નોંધીને વાડજ પોલીસે વધુની તપાસ હાથ ધરી હતી.તો પોલીસની પ્રાથમિક તપાસમાં 2 યુવકો આધેડ મહિલાને માર મારીને ફરાર થઈ ગયા હોવાનું સામે આવ્યું હતું. તો અગાઉ પણ અમદાવાદના વસ્ત્રાલમાં પોતાના પરિવાર સાથે રહેતી પરિણીતાની હત્યા કરી નાખવામાં આવી હતી. પડોશમાં રહેતા યુવકે છરીના ઘા ઝીંકી દેતાં મહિલાના આંતરડા બહાર નીકળી ગયા હતા. જેથી પરિણીતાનું મોત થયું હતું.


  • Follow us on: