અવારનવાર થતા માઇગ્રેનના દુખાવાને સામાન્ય માથાનો દુખાવો સમજીને અવગણવાની ભૂલ ભારે પડી શકે છે. તાજેતરમાં સામે આવેલા એક રિસર્ચમાં દાવો કરવામાં આવ્યો છે કે માઇગ્રેન અને દિલની સેહત (હાર્ટ હેલ્થ) વચ્ચે સીધો સંબંધ હોઈ શકે છે. સ્પ્રિંગર નેચરના જર્નલ 'ધ જર્નલ ઓફ હેડેક એન્ડ પેઇન' (The Journal of Headache and Pain) માં પ્રકાશિત એક અહેવાલ અનુસાર, વારંવાર માઇગ્રેનનો સામનો કરતા લોકોમાં હૃદય રોગનું જોખમ વધી જાય છે.


સ્ટડીમાં શું સામે આવ્યું?

રિસર્ચર્સના જણાવ્યા અનુસાર, માઇગ્રેનથી પીડિત લોકોમાં કાર્ડિયોવેસ્ક્યુલર ડિસીઝ (CVD), કોરોનની હાર્ટ ડિસીઝ અને ઇસ્કેમિક સ્ટ્રોકનું જોખમ વધુ જોવા મળ્યું છે. આ અભ્યાસ દર્શાવે છે કે માઇગ્રેન માત્ર માથાનો દુખાવો નથી, પરંતુ તે હૃદય અને રક્તવાહિનીઓની સેહત સાથે પણ જોડાયેલો હોઈ શકે છે. ખાસ કરીને 45 વર્ષથી ઓછી ઉંમરની મહિલાઓમાં આ જોખમ વધુ મજબૂત રીતે જોવા મળ્યું છે. આ ઉપરાંત, જે લોકો માઇગ્રેનની સાથે ધૂમ્રપાન, મેદસ્વીતા (મોટાપો) કે હાઈ બ્લડ પ્રેશર જેવી સમસ્યાઓ ધરાવે છે, તેમના માટે જોખમ બમણું થઈ જાય છે. જોકે, આ સ્ટડી બંને વચ્ચેનો સંબંધ દર્શાવે છે, તે સાબિત નથી કરતું કે માઇગ્રેન જ હાર્ટ ડિસીઝનું મુખ્ય કારણ છે.

કયા લક્ષણો છે ગંભીર?

જો માઇગ્રેનનો દુખાવો અચાનક વધી જાય, બોલવામાં તકલીફ થાય, શરીરના કોઈ ભાગમાં નબળાઈ લાગે, ચક્કર આવે, અસ્પષ્ટ દેખાય કે બેહોશી જેવા લક્ષણો જણાય, તો તેને બિલકુલ અવગણશો નહીં અને તરત જ ડૉક્ટરનો સંપર્ક કરો.

બચાવ માટે શું કરવું?

વારંવાર માઇગ્રેન થતો હોય તો પૂરતી ઊંઘ લેવી, તણાવ મુક્ત રહેવું અને હેલ્ધી લાઈફસ્ટાઈલ ફોલો કરવી જરૂરી છે. કઈ વસ્તુઓથી માઇગ્રેન ટ્રિગર થાય છે (જેમ કે તીવ્ર પ્રકાશ કે ચોક્કસ ખોરાક) તેની ઓળખ કરો. પૂરતું પાણી પીવો, સંતુલિત આહાર લો અને ડૉક્ટરની સલાહ મુજબ નિયમિત તપાસ કરાવો જેથી ભવિષ્યના મોટા જોખમથી બચી શકાય.

આ પણ વાંચો: Trump:ઈરાનની જપ્ત કરેલી સંપત્તિમાંથી ખાડી દેશોને થયેલા નુકસાનની ભરપાઈ કરશે અમેરિકા

  • Follow us on: