• આરોપીએ હથોડાની મદદથી કરી હત્યા
  • ઘટના સલીહા પોલીસ સ્ટેશનની છે
  • સમગ્ર વિસ્તારમાં ડરનો માહોલ

છત્તીસગઢના સાંરગઢ- બિલાઈગઢમાં હેરાન કરી દેનારી ઘટના સામે આવી છે. અહીં એક વ્યક્તિએ એક જ પરિવારના 5 લોકોને મોતને ઘાટ ઉતારી દીધા છે. આ પછી હત્યા કરનારા વ્યક્તિએ પણ આત્મહત્યા કરી લીધી છે. ઘટના સલીહા પોલીસ સ્ટેશનની છે. હત્યા બાદ આ ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં ગભરાટનો માહોલ જોવા મળી રહ્યો છે.

આરોપીએ હથોડાની મદદથી કરી હત્યા

પોલીસની મદદથી મળી રહેલી જાણકારી અનુસાર સારંગઢ જિલ્લા મુખ્યાલયથી 37 કિમી દૂર સલીહા પોલીસ સ્ટેશનની છે. ગામમાં એક જ પરિવારના 5 લોકોની હથોડાથી પ્રહાર કરીને હત્યા કરી દેવામાં આવી છે. પરિવારના લોકોની હત્યા કર્યા બાદ હત્યારાએ પોતે ફાંસી ખાઈને સુસાઈડ કરી લીધું છે. ઘટના બાદ ઘટના સ્થળે પોલીસ પહોંચી અને ઘટનાની માહિતિ લીધી હતી. પોલીસે કહ્યું કે પહેલી નજરે આ પ્રેમ પ્રકરણ હોય તેવું લાગી રહ્યું છે. તેમ છતાં પણ પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે.

કોણ કોણ છે મૃતકોમાં સામેલ

મૃતકોના નામ હેમલાલ, જગમતી, મીરા અને તેના 2 બાળકો સામેલ છે. પોલીસને શંકા છે કે તે તમામ હત્યા પાડોશમાં રહેતા સિલાઈનું કામ કરનારા યુવકે કરી છે. બિલાઈગઢ જિલ્લાના પોલીસના અનુસાર ઘટના પર પોલીસ કામ કરી રહી છે અને જલ્દી તેને લઈને તપાસ કરવામાં આવશે.  

  • Follow us on: