- મધ્યપ્રદેશના શ્યોપુર જિલ્લામાં બંધ મળી આવેલી 56 મદરેસાઓ
- 56 મદરેસાઓની માન્યતા રદ કરવાની મોટી કાર્યવાહી કરવામાં આવી
- જિલ્લા શિક્ષણાધિકારીના રિપોર્ટના આધારે કાર્યવાહી હાથ ધરી
મધ્યપ્રદેશના શ્યોપુર જિલ્લામાં તપાસ દરમિયાન બંધ મળી આવેલી 56 મદરેસાઓની માન્યતા રદ કરવાની મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જિલ્લા શિક્ષણાધિકારીના રિપોર્ટના આધારે રાજ્ય સરકારે આ કાર્યવાહી કરી છે.
જિલ્લા શિક્ષણ અધિકારીના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે શ્યોપુર જિલ્લામાં 80 માન્ય મદરેસા ચાલી રહી છે. આ પૈકી 54 એવી મદરેસા છે જે રાજ્ય સરકાર પાસેથી અનુદાન મેળવી રહી છે. મધ્ય પ્રદેશ મદરેસા બોર્ડના સચિવે કહ્યું કે, રાજ્યભરના તમામ જિલ્લા શિક્ષણ અધિકારીઓને તેમના ક્ષેત્રમાં ચાલતા મદરેસાનું ફિલ્ડ સ્ટાફ દ્વારા શારીરિક નિરીક્ષણ કરવા સૂચના આપવામાં આવી છે.













