બાંગ્લાદેશમાં હિંદુઓ પર અત્યાચાર થઇ રહ્યા છે. જેના વિરોધમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અધિકારીઓ અને સંલગ્ન સંગઠનોના સભ્યો રસ્તા પર ઉતરી આવ્યા હતા . અયોધ્યામાં સંતોના નેતૃત્વમાં જન આક્રોશ રેલી નીકળી હતી. આ રેલી મંગળવારે અયોધ્યાના ઐતિહાસિક ગુલાબવાડી મેદાનથી શરૂ થઈ હતી અને શહેરના વિવિધ માર્ગો પરથી ગાંધી પાર્ક માટે રવાના થઇ હતી. આ રેલીમાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપતરાય પણ જોડાયા હતા.
ચંપતરાયે શું કહ્યું ?













