બેંગલુરુમાં રહેતા એઆઈ એન્જિનિયર અતુલ સુભાષે આત્મહત્યા કરી લીધી હતી. પુત્રના મૃત્યુ બાદ એન્જિનિયરની માતાએ કોર્ટમાં પૌત્રની કસ્ટડીની માંગણી કરી હતી. એન્જિનિયરિંગની માતાએ આ અંગે કોર્ટમાં અરજી કરી હતી. જેમાં પૌત્રની કસ્ટડી અમને આપવામાં આવે તેવું જણાવ્યું હતું. એવું પણ કહેવામાં આવ્યું હતું કે બાળક અત્યારે ક્યાં છે તે જાણી શકાયું નથી. આ સમગ્ર મામલે મંગળવારે કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. હવે આગામી સુનાવણી 20 જાન્યુઆરીએ હાથ ધરવામાં આવશે.
એઆઈ એન્જિનિયર અતુલ સુભાષની માતાની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી
એઆઈ એન્જિનિયર અતુલ સુભાષની માતાની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન અતુલની પત્ની નિકિતાના વકીલે કોર્ટને કહ્યું કે બાળક નિકિતા પાસે છે. શનિવારે જામીન મળ્યા બાદ નિકિતા બાળકને ફરીદાબાદની સ્કૂલમાંથી પોતાની પાસે લઈ આવી છે. નિકિતાના વકીલે કોર્ટને કહ્યું કે દર શનિવારે નિકિતાએ તપાસ અધિકારી સમક્ષ હાજર થવું પડે છે, તેથી તે બાળકને બેંગલુરુ લઈ જશે અને ત્યાં બાળકને દાખલ કરાવશે.
અંજુ દેવી મોદીની અરજી પર કોર્ટમાં સુનાવણી
આ પહેલા 20 ડિસેમ્બરે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ બીવી નાગરથનાની અધ્યક્ષતાવાળી બેંચે અંજુ દેવી મોદીની અરજી પર હરિયાણા, યુપી અને કર્ણાટક સરકારને નોટિસ ફટકારી હતી. અંજુ દેવીએ અરજીમાં કહ્યું હતું કે નિકિતા જેલમાં ગયા પછી તેને તેના પૌત્ર વિશે કોઈ માહિતી નહોતી. બાળકને શોધીને તેમને સોંપવું જોઈએ.
સુપ્રીમ કોર્ટે હરિયાણા સરકાર અને નિકિતાને આ મામલે સોગંદનામું દાખલ કરવા કહ્યું છે. આગામી સુનાવણી 20 જાન્યુઆરીએ થશે. તમને જણાવી દઈએ કે અતુલની માતા અંજુ દેવીએ તેના 4 વર્ષના પૌત્રને સોંપવાની માંગ કરી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે નિકિતા અને તેના પરિવારજનોએ અતુલને ખોટા કેસમાં ફસાવી પૈસા માટે હેરાન કર્યા હતા. જેના કારણે તેણે આત્મહત્યા કરવી પડી હતી. આવી સ્થિતિમાં હવે નિકિતા સાથે અતુલ સુભાષનો 4 વર્ષનો પુત્ર સુરક્ષિત નથી.
સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન શું થયું?
કોર્ટ- હવે બાળક ક્યાં છે?
પત્નીના વકીલ- તે મારી કસ્ટડીમાં છે. ગઈકાલે હું ફરીદાબાદ પહોંચ્યો, બોર્ડિંગ સ્કૂલમાંથી બાળકનો કબજો લીધો.
કોર્ટઃ તેની ઉંમર કેટલી છે? કઈ શાળા? આ હેબિયસ કોર્પસ છે. આ માત્ર મૌખિક દલીલો જ નહીં, રેકોર્ડમાં નોંધવી જોઈએ.
અતુલની માતાના વકીલઃ મહેરબાની કરીને તેને કહો કે મને મળવાની પરવાનગી આપે.
જસ્ટિસ શર્મા- બાળકને પરેશાન ન કરો.
કોર્ટઃ તમે છેલ્લે ક્યારે મળ્યા હતા?
અતુલની માતાના વકીલઃ જ્યારે તે 2.5 વર્ષનો હતો.
કોર્ટ- તે તમને બિલકુલ ઓળખતો નથી. તમે બાળક માટે લગભગ અજાણ્યા છો.
વકીલ- મેં બાળક સાથે સમય વિતાવ્યો છે, તે અમને ઓળખે છે, હું પણ આ બતાવી શકું છું.
કોર્ટ- એવી રજૂઆત કરવામાં આવી છે કે બાળક માતાની કસ્ટડીમાં છે, તેને જામીનની શરતોનું પાલન કરવા માટે તેની સાથે બેંગ્લોર લઈ જવામાં આવશે. ઉપરોક્ત સંદર્ભમાં એફિડેવિટ દાખલ કરવા માટે સમય માંગવામાં આવ્યો છે. હવે આગામી સુનાવણી 20 જાન્યુઆરી 2024ના રોજ થશે.