- અવધેશ રાય હત્યાકેસમાં મુખ્તાર અંસારી દોષી
- આ નિર્ણય 32 વર્ષ બાદ આવ્યો છે
- વારાણસીની સાંસદ-ધારાસભ્ય કોર્ટે મુખ્તાર અન્સારીને લઇ આપ્યો ચુકાદો
વારાણસીની સાંસદ-ધારાસભ્ય કોર્ટે મુખ્તાર અન્સારી સાથે જોડાયેલા 32 વર્ષ જૂના કેસમાં સોમવારે પોતાનો ચુકાદો આપ્યો છે. સોમવારે ચુકાદો આપતા વારાણસી કોર્ટે મુખ્તાર અંસારીને દોષિત જાહેર કર્યો છે. વારાણસીના ચેતગંજમાં 31 વર્ષ પહેલા થયેલા કોંગ્રેસ નેતા અવધેશ રાયની હત્યાના કેસમાં વારાણસીના MP MLA કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો છે. બાહુબલી મુખ્તાર અંસારીને કોર્ટે દોષિત જાહેર કર્યો છે. 3 ઓગસ્ટ, 1991ના રોજ વારાણસીના લહુરાબીર વિસ્તારમાં રહેતા કોંગ્રેસ નેતા અવધેશ રાયની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. પોલીસની ચાર્જશીટ, લાંબી ઉલટતપાસ અને જુબાની બાદ કોર્ટે આ ચુકાદો આપ્યો હતો.













