ભારતે પાકિસ્તાન સામે Operation Sindoor હાથ ધાર્યા પહેલા અગાઉ એક વખત સરહદી સહિતના વિસ્તારોમાં મોક ડ્રિલ યોજાઇ હતી. હવે ફરીથી સરહદી રાજ્યો ખાસ કરીને ગુજરાત, પંજાબ, રાજસ્થાન અને જમ્મુ અને કાશ્મીરમાં 29 મી મેના ગુરુવારે મોકડ્રીલ યોજાઇ રહી છે. તેના માટે કેટલાક નિયમો હોય છે, જે સંબધિત તંત્ર અમલ કરવી શકે છે.
ઓપરેશન સિંદૂર જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો બદલો હતો. લોકોને ખબર પડે કે કોઈપણ કટોકટીની પરિસ્થિતિનો સામનો કેવી રીતે કરવો એ અનુસંધાને ભારત સરકારે 7 મેના દેશના 244 જિલ્લાઓમાં નાગરિક સંરક્ષણ મોક ડ્રીલ યોજી હતી. હવે ઓપરશન સિંદૂર બાદ વધુ એક વખત 29 મી મેના સરહદી રાજ્યોમાં મોકડ્રીલ યોજાશે.













