- બિહારમાં પુલ ધરાશાયી થતા બિહાર સરકારની મોટી કાર્યવાહી
- પુલ ધરાશાયી થતા 15 એન્જિનિયરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા
- પુલ બનાવતી કન્સ્ટ્રક્શન કંપની બ્લેક લિસ્ટ કરવામાં આવી
બિહારમાં પુલ ધરાશાયી થવાના મામલામાં બિહાર સરકારે મોટી કાર્યવાહી કરી છે. આ મામલામાં 15 એન્જિનિયરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બે ઈજનેરો પાસેથી ખુલાસો માંગવામાં આવ્યો છે. આ સાથે માતેશ્વરી કન્સ્ટ્રક્શન કંપનીને બ્લેક લિસ્ટમાં મૂકવામાં આવી છે.
બિહારમાં 12 પુલ ધરાશાયી થવાના મામલામાં બિહાર સરકારે મોટી કાર્યવાહી કરી છે. આ મામલામાં 15 એન્જિનિયરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બે ઇજનેરો પાસેથી ખુલાસો માંગવામાં આવ્યો છે, જે ઇજનેરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમાં 4 ગ્રામ્ય બાંધકામ વિભાગના અને 11 જળ સંસાધન વિભાગના છે. 2 એક્ઝિક્યુટિવ એન્જિનિયર, 4 આસિસ્ટન્ટ એન્જિનિયર, 2 જુનિયર એન્જિનિયર સહિત 15 એન્જિનિયરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સાથે માતેશ્વરી કન્સ્ટ્રક્શન કંપની પર પણ હુમલો થયો છે. સરકારે તેને બ્લેક લિસ્ટ કરી દીધી છે.













