- બિહારમાં પુલ ધરાશાયી થયાનો સીલસીલો યથાવત
- 27 જૂનથી 30 જૂન વચ્ચે સતત 2 પુલ તૂટ્યા
- પુલ ધરાશાયી થતા અનેક ગામો થયા સંપર્ક વિહોણા
બિહારમાં પુલ ધરાશાયી થયાનો સીલસીલો યથાવત છે. કિશનગંજમાં 27 જૂનથી 30 જૂન વચ્ચે સતત 2 પુલ તૂટી પડ્યા હતા. આવી જ એક ઘટના ઠાકુરગંજના ખોશી ડાંગી ગામમાં બની હતી, જ્યાં 27 જૂને ભારે વરસાદ અને ત્યારબાદ નદીમાં પાણીના પ્રવાહમાં વધારો થવાને કારણે તત્કાલીન સાંસદ તસ્લીમુદ્દીનના ભંડોળથી બનેલા પુલના પિલરને નુકસાન થયું હતું. લગભગ 50 હજાર લોકો તેનાથી પ્રભાવિત થયા છે.
મળતી માહિતી મુજબ, બિહારમાં છેલ્લા કેટલાક દિવસોમાં પુલ ધરાશાયી થવાની ઘટનાઓ વારંવાર સામે આવી રહી છે. હવે આ અંગે રાજકીય વર્તુળોમાં પણ બોલબાલા શરૂ થઈ ગઈ છે. વિપક્ષના નેતા તેજસ્વી યાદવે રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા છે અને આરોપ લગાવ્યો છે કે ગુનાહિત બેદરકારીના કારણે ઉત્તર બિહારના કેટલાક જિલ્લાઓમાં એક ડઝન પુલ તૂટી પડ્યા છે. જ્યારે અધિકારીઓ સતત દાવો કરી રહ્યા છે કે આ કદાચ રાજ્યભરની નદીઓમાં હાથ ધરવામાં આવેલી કાંપ હટાવવાની ઝુંબેશનું પરિણામ છે.













