- મુંબઈથી તિરુવનંતપુરમ જતી ફ્લાઈટને બોમ્બની ધમકી મળી
- તિરુવનંતપુરમમાં 135 મુસાફરો સુરક્ષિત રીતે નીચે ઉતર્યા
- બોમ્બ હોવાની માહિતી મળ્યા બાદ સુરક્ષા તપાસનો ધમધમાટ
22 ઓગસ્ટે મુંબઈથી તિરુવનંતપુરમ જતી ફ્લાઈટને બોમ્બની ધમકી મળતાં ગભરાટ ફેલાયો હતો. આ પછી તરત જ તિરુવનંતપુરમ એરપોર્ટ પર ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે. એર ઈન્ડિયાની ફ્લાઈટ લગભગ 8 વાગે તિરુવનંતપુરમ એરપોર્ટ પર લેન્ડ થઈ હતી. આ પછી તેને આઈસોલેશન બેમાં રાખવામાં આવ્યો હતો. જ્યાં 135 મુસાફરોને સુરક્ષિત રીતે તિરુવનંતપુરમમાં ઉતારવામાં આવ્યા હતા.
મળતી માહિતી મુજબ, AI 657 (BOM-TRV) એ 22 ઓગસ્ટના રોજ 7:30 વાગ્યે બોમ્બની ધમકીની જાણ કરી હતી. 07:36 વાગ્યે TRV એરપોર્ટ પર સંપૂર્ણ કટોકટી જાહેર કરવામાં આવી હતી. ફ્લાઈટ સુરક્ષિત રીતે લેન્ડ થઈ હતી, ત્યારબાદ એરક્રાફ્ટને આઈસોલેશન બેમાં પાર્ક કરવામાં આવ્યું હતું. રાહતની વાત છે કે ફ્લાઈટમાં હાજર તમામ મુસાફરો સુરક્ષિત છે. હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી. એરપોર્ટની કામગીરી હાલ શાંત છે.













