આ ધમકી બાદ, તેમની ઓફિસે કેન્દ્રીય ગૃહ સચિવને પત્ર લખીને સુરક્ષા વધારવા અને જરૂરી કાર્યવાહી કરવાની વિનંતી કરી છે.

કોણે આપી ધમકી ? 

કેન્દ્રીય મંત્રી અને લોક જનશક્તિ પાર્ટીના પ્રમુખ ચિરાગ પાસવાનને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આ ધમકી તેમને ટપાલ દ્વારા મોકલવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. ધમકીભર્યા પત્ર મળવાથી ચિરાગ પાસવાનની સલામતી અંગે ચિંતા વધી છે. તેમની ઓફિસે આ બાબતને ગંભીરતાથી લીધી છે અને કેન્દ્રીય ગૃહ સચિવને પત્ર લખીને ઘટનાની જાણ કરી છે અને જરૂરી કાર્યવાહીની માંગ કરી છે.

શુ લખાયુ છે પત્રમાં ? 

ચિરાગ પાસવાનને મોકલવામાં આવેલા ધમકીભર્યા પત્રમાં લખ્યું છે કે, "તમને ટૂંક સમયમાં કટ્ટર આતંકવાદીઓ દ્વારા મારી નાખવામાં આવશે." ધમકી આપનાર વ્યક્તિની ઓળખ કરવા અને પત્ર ક્યાં મોકલવામાં આવ્યો તે નક્કી કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે. તપાસ પત્રના સ્ત્રોત અને મોકલનાર વિશે માહિતી એકત્રિત કરી રહી છે. હાલમાં તે સ્પષ્ટ નથી કે ચિરાગ પાસવાનને આપવામાં આવેલી ધમકી પાછળ કોણ છે અને તેનો હેતુ શું હતો. મામલાની ગંભીરતાને જોતાં, સંબંધિત એજન્સીઓ ધમકીની તપાસ કરી રહી છે. 

અનામતનો મુદ્દો હતો ચર્ચામાં 

કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાન અનામત મુદ્દે સમાચારમાં છે. ચિરાગ પાસવાન અને જીતન રામ માંઝીએ અનામતમાં પેટા વર્ગીકરણ અને 'ક્રીમી લેયર'ના મુદ્દા પર એકબીજાના રાજીનામાની માંગણી કરી હતી. ચિરાગ પાસવાને કેન્દ્રીય મંત્રી જીતન રામ માંઝી અને તેમના પુત્ર સંતોષ કુમાર સુમન, જે બિહાર સરકારમાં મંત્રી છે, તેમના રાજીનામાની માંગણી કરી હતી. ચિરાગે કહ્યું કે જો માંઝી અને તેમનો પુત્ર અનુસૂચિત જાતિ અનામતમાં 'ક્રીમી લેયર' અથવા પેટા-વર્ગીકરણના અમલીકરણની તરફેણ કરે છે, તો પછી, અનામતનો લાભ મેળવી ચૂક્યા પછી, તેમણે પહેલા નૈતિક ધોરણે તેમના કેન્દ્રીય મંત્રીપદ અને મંત્રી પદ પરથી રાજીનામું આપવું જોઈએ.

આ પણ વાંચોઃ S-400ની સફળતા બાદ રશિયાની ભારતને મોટી ઓફર, S-500 અને Su-57 મળશે?