• લોકસભામાં 543 સભ્યોની સંખ્યાના 15 ટકા મંત્રી કેન્દ્રમાં હોઈ શકે
  • પીએમ મોદીની કેબિનેટમાં 81-82 મંત્રીઓ વધુમાં વધુ નીમાઈ શકે
  • કેન્દ્રમાં 3 પ્રકારના મંત્રી બનાવાય છે, જાણો કોણ-કોને કરે છે રિપોર્ટ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં દેશમાં ફરીથી એનડીએની સરકાર બનવા જઈ રહી છે. આ સાથે જ નરેન્દ્ર મોદી આવતીકાલે એટલે કે 9મી જૂને સાંજે 7.15એ શપથ ગ્રહણ કરશે. શક્યતા છે કે તેની સાથે જ મંત્રીમંડળના સભ્યો પણ શપથ લઈ શકે. તો જાણો કેન્દ્રમાં વધુમાં વધુ કેટલા મંત્રી બનાવી શકાય છે અને કેટલા પ્રકારના મંત્રઈ બનાવી શકાય છે.

કેન્દ્ર સરકારમાં કેટલા મંત્રી બનાવી શકાય છે

સંવિધાનના અનુસાર કેન્દ્રીય મંત્રીમંડળના સભ્યોની કુલ સંખ્યા લોકસભાના કુલ સભ્યોની સંખ્યાના આધારે નક્કી થાય છે. લોકસભાના કુલ સભ્યોની સંખ્યાના 15 ટકા સભ્યો મંત્રી બનાવી શકાય છે. એટલે કે લોકસભામાં 543 સભ્યોની સંખ્યાના 15 ટકા મંત્રી કેન્દ્રમાં હોઈ શકે છે. આ આધારે પીએમ મોદીની કેબિનેટમાં 81-82 મંત્રીઓ વધુમાં વધુ નીમાઈ શકે છે.

સંવિધાન અનુસાર નક્કી કરાય છે કેબિનેટ

ભારતીય સંવિધાનના નિયમ 74, 75 અને 77ના અનુસાર જ કેન્દ્રમાં મંત્રીમંડળની રચના કરાય છે. મંત્રીપરિષદ રાષ્ટ્રપતિની સલાહ પર કામ કરે છે. મંત્રીપરિષદના સર્વોચ્ચ પદે પ્રધાનમંત્રી હોય છે અને તેમની મદદ અને સલાહને લઈને સહમતિ નકકી કરાય છે. કલમ 75(1)કહે છે કે પ્રધાનમંત્રીની નિયુક્તિ રાષ્ટ્રપતિ કરે છે. મંત્રીમંડળના અન્ય સભ્યોને વિશે પ્રધાનમંત્રીની સાથે વિચાર કરે છે અને મંત્રીમંડળના વિસ્તારમાં તેમનો ખાસ અધિકાર રહે છે.

લોકસભાને માટે જવાબદાર હોય છે કેન્દ્રીય મંત્રીમંડળ

સંવિધાની કલમ 77ના અનુસાર સરકારી મંત્રાલયો કે વિભાગો નક્કી કરાય છે, આ કામ પણ પ્રધાનમંત્રીની સલાહ પર રાષ્ટ્રપતિ કરે છે. પ્રધાનમંત્રીની સલાહ અનુસાર દરેકને મંત્રાલય સોંપાય છે. કેન્દ્રીય મંત્રીમંડળ સામૂહિક રૂપમાં લોકસભાને માટે જવાબદાર રહે છે. મંત્રીઓના નીતિગત વિષયો અને સામાન્ય પ્રશાસન પર મદદ કરવા માટે તમામ વિભાગમાં એક સચિવ પણ નિમાય છે. પ્રધાનમંત્રી અને મંત્રીના પદ ગ્રહણ કરતા પહેલા રાષ્ટ્રપતિ દ્વારા તેમને પદ અને ગોપનીયતાના શપથ અપાવાય છે.

કેન્દ્રમાં 3 પ્રકારના મંત્રી બનાવાય છે

ભારતના કેન્દ્રીય મંત્રીમંડળમાં મંત્રાલયોના મહત્વ અને કાર્યભારને જોતા 3 પ્રકારના મંત્રી બનાવાય છે. તેમાં કેબિનેટ મંત્રી, રાજ્યમંત્રી અને સ્વતંત્ર પ્રભાર સામેલ છે. તેમાં સૌથી વધારે મહત્ત્વ કેબિનેટ મંત્રીનું હોય છે. કેબિનેટ મંત્રી પોતાના મંત્રાલયના મુખ્ય ગણાય છે અને સીધા પ્રધાનમંત્રીને રિપોર્ટ કરે છે. આ માટે તે સૌથી યોગ્ય સાંસદને કેબિનેટ મંત્રી બનાવવાની સલાહ રાષ્ટ્રપતિને આપે છે. તેની પાસે એકથી વધારે મંત્રાલય પણ હોઈ શકે છે. કેન્દ્ર સરકારની તરફથી તમામ નિર્ણયો કેબિનેટની બેઠકમાં લેવાય છે. આ માટે કેબિનેટ મંત્રીનું કેબિનેટની બેઠકમાં સામેલ થવાનું અનિવાર્ય રહે છે.

રાજ્યમંત્રી સીધા પીએમને કરે છે રિપોર્ટ

આ પછી રાજ્યમંત્રીનો દરજ્જો આવે છે. તેની પાસે નાના અને થોડા ઓછા મહત્ત્વના મંત્રાલય હોય છે. આમ તો આ મંત્રાલયનું પોતાનું મહત્ત્વ હોય છે પણ સાથે આ મંત્રાલયમાં ઓછી જવાબદારી હોય છે. એટલે કે કોઈ કેબિનેટ મિનિસ્ટરના વિના પણ રાજ્યમંત્રીની મદદથી મંત્રાલય ચલાવી શકાય છે. આવા મંત્રાલયોની જવાબદારી રાજ્યમંત્રીઓને સ્વતંત્ર રીતે અપાય છે અને આ કોઈ કેબિનેટ મંત્રીને રિપોર્ટ કરવાને બદલે સીધા જ પ્રધાનમંત્રીને રિપોર્ટ કરે છે. તેઓ કેબિનેટની બેઠકમાં સામેલ થઈ શકતા નથી.

કેબિનેટ મંત્રીને રિપોર્ટ કરે છે રાજ્યમંત્રી

હવે વારો આવે છે રાજ્યમંત્રીનો. તેઓ કેબિનેટ મંત્રીના સહયોગીના રૂપમાં કામ કરે છે. જે મંત્રાલયોનું વધારે મહત્ત્વ હોય છે તેનં કાર્યક્ષેત્ર પણ મોટું હોય છે અને જવાબદારી પણ વધારે હોય છે. તેમાં કેબિનેટ મંત્રીના સહયોગ માટે રાજ્યમંત્રી તૈનાત કરાય છે. રાજ્યમંત્ર સીધા કેબિનેટ મંત્રીને રિપોર્ટ કરે છે. તે કેબિનેટની બેઠકમાં સામેલ થતા નથી. મોટા મંત્રાલયોમાં 1-2 રાજ્યમંત્રી નીમવામાં આવે છે.  

  • Follow us on: