ઉત્તર પ્રદેશના CM યોગી આદિત્યનાથે મંગળવારે શેરીઓમાં નમાઝ અદા કરવા પર પ્રતિબંધ મૂકવાના તેમની સરકારના નિર્ણયનો બચાવ કર્યો હતો. તેમણે પ્રયાગરાજમાં મહાકુંભને ધાર્મિક અનુશાસન અને વ્યવસ્થિત આચરણનું આદર્શ ઉદાહરણ પણ ગણાવ્યું હતું. સમાચાર એજન્સી પીટીઆઈ સાથેની એક વિશિષ્ટ મુલાકાતમાં, ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાને પ્રયાગરાજ મહાકુંભનું ઉદાહરણ આપતા કહ્યું કે 66 કરોડ શ્રદ્ધાળુઓએ સંગમમાં શ્રદ્ધાથી ડૂબકી લગાવી હતી અને સમગ્ર કાર્યક્રમ દરમિયાન કોઈ ઘટના પ્રકાશમાં આવી નથી.


યોગી આદિત્યનાથે કહ્યું, રસ્તા ચાલવા માટે છે

યોગી આદિત્યનાથે કહ્યું, 'રસ્તા ચાલવા માટે છે અને જે આવું કહી રહ્યા છે... તેમણે હિન્દુઓ પાસેથી શિસ્ત શીખવું જોઈએ. 66 કરોડ લોકો પ્રયાગરાજ આવ્યા... ક્યાંય લૂંટફાટ નથી, ક્યાંય આગચંપી નથી, ક્યાંય છેડતી નથી, ક્યાંય તોડફોડ નથી, ક્યાંય અપહરણ નથી, આ શિસ્ત છે, આ ધાર્મિક અનુશાસન છે. કરોડો હિન્દુઓ ભક્તિભાવ સાથે પ્રયાગરાજ મહાકુંભમાં આવ્યા, મહાસ્નાનમાં ભાગ લીધો અને પછી તેમના ગંતવ્ય તરફ આગળ વધ્યા. તહેવારો અને ઉજવણીઓ કે આવા કોઈ પ્રસંગો ગેરવર્તણૂકનું માધ્યમ ન બનવું જોઈએ. સગવડ જોઈતી હોય તો શિસ્તનું પાલન કરતા પણ શીખો.

યુપીમાં રસ્તાઓ પર નમાઝ પઢવા પર પ્રતિબંધ છે

ઈદના અવસર પર યુપી સરકારના નિર્દેશોને અનુસરીને તમામ જિલ્લાની પોલીસે આદેશ જારી કર્યો હતો કે રસ્તાઓ પર નમાઝ પઢવામાં આવશે નહીં અને આવા કાર્યક્રમો માત્ર નિર્ધારિત સ્થળો પર જ યોજાશે. મેરઠ પોલીસે એક નિર્દેશ જારી કરીને કહ્યું હતું કે આ વર્ષે શહેરમાં ઈદની નમાઝ માત્ર નજીકની મસ્જિદો અને ફૈઝ-એ-આમ ઈન્ટર કોલેજના મેદાન જેવા નિર્ધારિત સ્થળો સુધી મર્યાદિત રહેશે. રાજ્ય સરકારની આ સૂચના બાદ મુસ્લિમ ધર્મગુરુઓએ પણ લોકોને ઇદની નમાજ માત્ર નિર્ધારિત સ્થળોએ જ અદા કરવાની અપીલ કરી હતી.

વકફ અંગત હિતનું કેન્દ્ર બની ગયું છેઃ CM યોગી

વકફ (સુધારા) બિલ પર એક પ્રશ્નનો જવાબ આપતા યોગી આદિત્યનાથે કહ્યું કે સુધારા એ સમયની જરૂરિયાત છે. તેમણે કહ્યું, 'દરેક સારા કામનો વિરોધ હોય છે. તેવી જ રીતે વકફ સુધારા બિલ પર હોબાળો ચાલી રહ્યો છે. આ મુદ્દે હંગામો મચાવનારાઓને હું પૂછવા માંગુ છું... શું વકફ બોર્ડે કોઈ કલ્યાણ કર્યું છે? બધું જ બાજુ પર મૂકીને, શું વક્ફે મુસ્લિમોનું પણ કોઈ ભલું કર્યું છે? વકફ અંગત રસનું કેન્દ્ર બની ગયું છે.

કોઈપણ સરકારી મિલકત પર બળજબરીથી કબજો જમાવવાનું એક માધ્યમ બની ગયું છે અને તેમાં સુધારો એ સમયની જરૂરિયાત છે. દરેક સુધારાનો વિરોધ કરવામાં આવે છે. આપણે દેશ, સમય અને પરિસ્થિતિ અનુસાર આવા સુધારા માટે તૈયાર રહેવું જોઈએ. મને લાગે છે કે વકફ કાયદામાં સુધારાથી મુસ્લિમ સમુદાયને સૌથી વધુ ફાયદો થશે.

  • Follow us on: