દિલ્હી વિધાનસભાના અધ્યક્ષ રામનિવાસ ગોયલે રાજકારણમાંથી સંન્યાસ લીધો. અરવિંદ કેજરીવાલને પત્ર લખી જાણ કરી. પાર્ટીના તમામ ધારાસભ્યો દ્વારા આપવામાં આવેલા સન્માન બદલ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે તેઓ હવે તેમની ઉંમરને કારણે ચૂંટણીના રાજકારણથી દૂર રહેવા માગે છે, પરંતુ પાર્ટીની સેવા કરવાનું ચાલુ રાખશે.
દિલ્હી વિધાનસભાના અધ્યક્ષ રામ નિવાસ ગોયલે ચૂંટણીના રાજકારણમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. આ અંગે તેમણે આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલને પત્ર લખ્યો છે અને વધતી ઉંમરનું કારણ આપીને રાજકારણમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે.
ચૂંટણીના રાજકારણમાંથી નિવૃત્તિ લેવાનું પત્રમાં જણાવતા તેમણે પક્ષના તમામ ધારાસભ્યો દ્વારા આપવામાં આવેલા સન્માન બદલ આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે તેઓ હવે તેમની ઉંમરને કારણે ચૂંટણીના રાજકારણથી દૂર રહેવા માગે છે, પરંતુ પાર્ટીની સેવા કરવાનું ચાલુ રાખશે.
પત્ર લખી કેજરીવાલને જાણ કરી
કેજરીવાલને લખેલા પત્રમાં રામ નિવાસ ગોયલે લખ્યું છે કે, 'હું તમને નમ્રતાપૂર્વક જણાવવા માગુ છું કે છેલ્લા 10 વર્ષથી મેં શાહદરા વિધાનસભાના ધારાસભ્ય અને સ્પીકર તરીકે મારી ફરજો કુશળતાપૂર્વક નિભાવી છે. તમે હંમેશા મને ઘણું સન્માન આપ્યું છે જેના માટે હું હંમેશા તમારો આભારી રહીશ. પાર્ટી અને તમામ ધારાસભ્યોએ પણ મને ઘણું સન્માન આપ્યું છે, આ માટે હું દરેકનો આભાર વ્યક્ત કરું છું.
તેમણે પત્રમાં આગળ લખ્યું, 'મારી ઉંમરને કારણે હું ચૂંટણીના રાજકારણથી દૂર રહેવા માગુ છું. હું તમને ખાતરી આપું છું કે હું મારા તન, મન અને ધનથી આમ આદમી પાર્ટીની સેવા કરતો રહીશ. તમે મને જે પણ જવાબદારી સોંપશો તે હું નિભાવવાનો પ્રયત્ન કરીશ.
કેજરીવાલની પ્રતિક્રિયા
તેમના પત્રના જવાબમાં કેજરીવાલે લખ્યું, 'રામનિવાસ ગોયલ જીનો ચૂંટણી રાજકારણમાંથી દૂર થવાનો નિર્ણય આપણા બધા માટે ભાવનાત્મક ક્ષણ છે. વર્ષોથી તેમના માર્ગદર્શને અમને ગૃહની અંદર અને બહાર સાચી દિશા બતાવી છે. તેમની વધતી જતી ઉંમર અને તબિયતના કારણે તેમણે તાજેતરમાં ચૂંટણીના રાજકારણમાંથી દૂર થવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. અમે તેમના નિર્ણયનું સન્માન કરીએ છીએ. ગોયલ સાહેબ અમારા પરિવારના સંરક્ષક હતા, છે અને રહેશે. પાર્ટીને ભવિષ્યમાં પણ તેમના અનુભવ અને સેવાઓની હંમેશા જરૂર રહેશે.
ઘણા સમયથી રાજકારણ કરી રહ્યા છે
તમને જણાવી દઈએ કે રામનિવાસ ગોયલ લાંબા સમયથી રાજકારણમાં છે. 1993માં તેઓ ભાજપની ટિકિટ પર શાહદરા બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. બાદમાં જ્યારે આમ આદમી પાર્ટી અસ્તિત્વમાં આવી ત્યારે તેઓ તેમાં જોડાયા. આ પછી, તેઓ છેલ્લી બે ચૂંટણીઓમાં સતત જીત્યા અને પછી વિધાનસભાના સ્પીકર બન્યા.