- મનીષ સિસોદિયાએ વચગાળાની જામીન અરજી પાછી ખેંચી લીધી હતી
- જામીન આપવામાં આવશે તો તપાસ અને સાક્ષીઓ પર અસર પડશે - CBI
- સિસોદિયાની નિયમિત જામીન અરજી પર નિર્ણય 30 એપ્રિલ સુધી અનામત રાખવામાં આવ્યો છે
દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે દારૂ નીતિ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં જેલમાં બંધ પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની નિયમિત જામીન માંગતી અરજી પર પોતાનો આદેશ અનામત રાખ્યો છે. આ અંગે કોર્ટ 30 એપ્રિલે ચુકાદો આપશે. સીબીઆઈએ જામીન અરજીનો વિરોધ કરતા કહ્યું કે જો સિસોદિયાને જામીન મળે તો તે આગળની તપાસ અને સાક્ષીઓને પ્રભાવિત કરી શકે છે.













