દિલ્હી સરકારે માર્ગદર્શિકા જાહેર કરીને પ્રતિબંધિત પ્રાણીઓની જાહેરમાં કુરબાની કરવા ઉપર પ્રતિબંધ લગાડ્યો છે. બકરીઈદના તહેવાર પહેલા ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્રમાં રાજકીય માહોલ ગરમ બન્યો છે. આ રાજ્યો તથા મધ્યપ્રદેશ અને દિલ્હીમાં સરકાર દ્વારા ખાસ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.


ધર્મગુરુઓ અને નેતાઓની બયાનબાજી

પશુઓની કુરબાની મામલે ધર્મગુરુઓ અને રાજનેતાઓની બયાનબાજી ચાલી રહી છે. કેટલાય સ્થળે ધર્મગુરુઓ અને નેતાઓ વિરોધ કરી રહ્યા છે. ધમકીભર્યા નિવેદનો પણ ચર્ચામાં આવ્યા છે.

એક કાનૂન અમલી બનાવવા માગણી

ખાસ કરીને ઉત્તર પ્રદેશમાં પશુઓની કુરબાનીને લઈને રાજકીય બયાનબાજી વધારે ચાલી છે. ભાજપના નેતા સંગીત સોમે કહ્યું કે, દેશમાં એક કાનૂન હોવો જોઈએ. કુરબાની ગેરકાનૂની હોય તો ન થવી જોઈએ.


  • Follow us on: