• શપથ ગ્રહણની તૈયારીને લઇને બેઠક
  • બીજેપીના વરિષ્ઠ નેતાઓની હાજરી
  • જે.પી નડ્ડાના ઘરે બેઠક

લોકસભા ચૂંટણીના પરિણામો બાદ ભાજપે આજે અચાનક દિલ્હીમાં એક મોટી બેઠક બોલાવી છે. માનવામાં આવે છે કે આ બેઠક નવી સરકારની રચના સાથે જોડાયેલા મુદ્દા પર છે. આ બેઠકમાં ભાજપના અનેક વરિષ્ઠ નેતાઓ ભાગ લઇ રહ્યા છે. 

બેઠકમાં કોણ હાજર? 

 જેપી નડ્ડાના નિવાસસ્થાને બેઠક મળી છે.  આ બેઠકમાં અમિત શાહ અને રાજનાથ સિંહ અને બી.એલ સંતોષ પણ પણ હાજર છે. આ ઉપરાંત બેઠકમાં સંઘના પદાધિકારીઓ પણ પહોંચ્યા છે. સુરેશ સોની અને દત્તાત્રેય હોસવાલ પણ ઉપસ્થિત છે. બેઠકમાં એનડીએ સરકારની રચનાને લઇને બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. જે માટે દિગ્ગજ નેતાઓ જેપી નડ્ડાના ઘરે પહોંચ્યા છે. બેઠકમાં શપથ સમારોહને લઇને તૈયારીઓની ચર્ચા કરવામાં આવશે.. રાજનાથસિંહ સહિત પાર્ટીના દિગ્ગજ નેતાઓ બેઠકમાં ભાગ લેવા જેપી નડ્ડાના ઘરે પહોંચ્યા છે. 


8 જૂને શપથ સમારોહ યોજાવાની સંભાવના

લોકસભા ચૂંટણીના પરિણામો બાદ હવે નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ 8મી જૂને યોજાય તેવી શક્યતા છે. સૂત્રોનું માનીએ તો મોદી સરકારના ત્રીજા કાર્યકાળનો શપથ ગ્રહણ સમારોહ રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં યોજાશે. રાષ્ટ્રપતિ ભવનમાં શપથગ્રહણ સમારોહની તૈયારીઓને લઈને બેઠકોનો દોર ચાલુ છે.

  • Follow us on: