ભારતે પાકિસ્તાનના 9 આતંકી ઠેકાણાઓ ધ્વસ્ત કર્યા બાદ બંને દેશ વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. તેની વચ્ચે ઈરાનના વિદેશ મંત્રી સઈદ અબ્બાસ અરાઘચી નવી દિલ્હી પહોંચ્યા છે, જ્યાં અધિકારીઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે. તેમની મુલાકાત ભારત અને ઈરાન વચ્ચેના વ્યૂહાત્મક સંબંધોને વધુ મજબૂત બનાવશે. ભારત આવ્યાના થોડા દિવસો પહેલા જ અરાઘચી પાકિસ્તાન ગયા હતા. ઓગસ્ટ 2024માં પદ સંભાળ્યા પછી ઈરાનના વિદેશ મંત્રીની આ પહેલી ભારત મુલાકાત છે.













