• ગોલ્ડી બ્રારને આતંકવાદી જાહેર કરાયો
  • ગોલ્ડી બ્રાર સામે UAPA અંતર્ગત કેસ દાખલ
  • કેન્દ્ર સરકારે ગોલ્ડી બ્રારને આતંકી જાહેર કર્યો

ભારત સરકારે નવા વર્ષની શરૂઆતમાં કુખ્યાત ગેંગસ્ટર ગોલ્ડી બ્રાર સામે મોટી કાર્યવાહી કરી છે. ગૃહ મંત્રાલયે ગોલ્ડીને આતંકવાદી જાહેર કર્યો છે. આ સંદર્ભે એક જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે. ગૃહ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી નોટિસમાં કહેવામાં આવ્યું છે કે ગોલ્ડી બ્રાર પ્રતિબંધિત ખાલિસ્તાની સંગઠન બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ સાથે સંકળાયેલા છે.

કેન્દ્ર સરકારે જાહેર કર્યુ નોટિફિકેશન

ગેંગસ્ટર ગોલ્ડી બ્રારનું સાચું નામ સતીન્દર સિંહ ઉર્ફે સતીન્દર સિંહજીત સિંહ છે. તે ભારતથી ભાગીને વર્ષ 2021માં કેનેડા પહોંચ્યો હતો. ત્યારથી તે ક્યારેક કેનેડામાં તો ક્યારેક અમેરિકામાં રહીને ગુનાહિત અને આતંકવાદી પ્રવૃતિઓ કરી રહ્યો હતો. ત્યાંથી તે મોડ્યુલ દ્વારા ગુનાઓને અંજામ આપતો રહે છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નોટિફિકેશનમાં તેને આતંકવાદી સંગઠન બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ સાથે જોડાયેલો ગણાવ્યો છે.

સિદ્ધુ મૂસેવાલાની હત્યાનું રચ્યુ હતું કાવતરૂ

મળતી માહિતી મુજબ ગેંગસ્ટરમાંથી આતંકવાદી જાહેર કરાયેલો ગોલ્ડી બ્રાર પંજાબના શ્રી મુક્તસર સાહેબનો રહેવાસી છે. તેમનો જન્મ 11 એપ્રિલ 1994ના રોજ થયો હતો. હાલ તે બ્રેમ્પટન, કેનેડામાં રહે છે. ત્યાં ખાલિસ્તાની આતંકવાદીઓ સાથે સાંઠગાંઠ કરીને ભારત વિરુદ્ધ કામ કરી રહ્યા છે. કેનેડામાં બેસીને તેણે પંજાબી ગાયક સિદ્ધુ મૂઝવાલાની હત્યાનું સમગ્ર કાવતરું ઘડ્યું હતું અને તેણે આ અંગેની જવાબદારી પણ લીધી હતી.




  • Follow us on: