• હાથરસ દુર્ઘટનામાં 116 લોકોના મોત 
  • 20થી વધુ લોકો ઘાયલ થયાની વિગત
  • આયોજકો વિરુદ્ધ FRI નોંધવામાં આવી

IG શલભ માથુરે જણાવ્યું કે, હાથરસ દુર્ઘટનામાં 116 લોકોના મોત થયા છે. જ્યારે 20 લોકો ઘાયલ થયા છે. તેમણે એમ પણ જણાવ્યું કે આયોજકો વિરુદ્ધ FRI નોંધવામાં આવી છે.

UPના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે હાથરસ જિલ્લામાં હાથરસ દુર્ઘટના મામલે નોંધ લીધી. મુખ્યમંત્રીએ મૃતકોના શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. મુખ્યમંત્રીએ જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓને ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવા અને તેમને યોગ્ય સારવાર આપવા સૂચના આપી છે. આ સાથે જ તેમણે ઘાયલોના જલદી સાજા થવાની કામના પણ કરી હતી. મુખ્યમંત્રીએ જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓને ઘટનાસ્થળે પહોંચીને રાહત કાર્યને ઝડપી બનાવવાનો નિર્દેશ આપ્યો હતો.

નાસભાગમાં 116થી વધુ લોકોના મોત

હાથરસ દુર્ઘટનામાં 116 લોકોના મોત થયા છે. જ્યારે 20 લોકો ઘાયલ થયા છે. સમગ્ર ઘટના મામલે આયોજકો વિરુદ્ધ FRI નોંધવામાં આવી છે. આ બધા વચ્ચે હાથરસની ઘટનામાં મોટી કાર્યવાહીની તૈયારીઓ ચાલી રહી છે. આયોજક સમિતિ સહિત સ્થાનિક વહીવટીતંત્ર સામે કાર્યવાહી કરવાની તૈયારી ચાલી રહી છે. સમગ્ર ઘટનાનો અહેવાલ મુખ્યમંત્રી કાર્યાલયમાંથી મંગાવવામાં આવ્યો હતો.

PM મોદીએ આ ઘટના પર કહ્યું કે ઉત્તર પ્રદેશના હાથરસમાં ઘણા લોકોના દુઃખદ મોત થયા છે. આ અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકો પ્રત્યે હું સંવેદના વ્યક્ત કરું છું. હું ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું. રાજ્ય સરકારની દેખરેખ હેઠળ વહીવટીતંત્ર રાહત અને બચાવ કાર્યમાં લાગેલું છે. કેન્દ્ર સરકારના વરિષ્ઠ અધિકારીઓ ઉત્તર પ્રદેશના સંપર્કમાં છે. હું દરેકને ખાતરી આપું છું કે પીડિતોને દરેક શક્ય રીતે મદદ કરવામાં આવશે.

ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે તેઓ ઉત્તર પ્રદેશના હાથરસમાં થયેલા દુ:ખદ અકસ્માતથી ખૂબ જ દુઃખી છે. આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોના પરિવારજનો પ્રત્યે હું સંવેદના વ્યક્ત કરું છું. ભગવાન તેમને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. સ્થાનિક પ્રશાસન રાહત કાર્યમાં વ્યસ્ત છે. હું ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું.

સિકંદરરાવ પોલીસે હેલ્પલાઈન નંબર જાહેર

હાથરસના સિકંદરરૌ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના પોલીસ પ્રશાસને સામાન્ય લોકોની મદદ માટે હેલ્પલાઇન નંબર 9259189726 અને 9084382490 જારી કર્યા છે.

  • Follow us on: