ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ વચ્ચે, રાષ્ટ્રીય રાજધાની અને ઘણા રાજ્યોએ શાળાઓ બંધ રાખવાની, સરહદી જિલ્લાઓમાં અંધારપટ અને પોલીસકર્મીઓ અને નાગરિક વહીવટી અધિકારીઓની રજાઓ રદ કરવાની જાહેરાત કરી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવને કારણે દિલ્હી સરકારે ગુરુવારે (8 મે) તેના તમામ કર્મચારીઓની રજા આગામી આદેશ સુધી રદ કરી દીધી છે.


દિલ્હી સરકારના સેવા વિભાગ દ્વારા મોડી સાંજે જારી કરાયેલા આદેશમાં કહેવામાં આવ્યું હતું કે વર્તમાન પરિસ્થિતિ અને કોઈપણ કટોકટીની તૈયારીઓને ધ્યાનમાં રાખીને, દિલ્હી સરકારના કોઈપણ અધિકારીને આગામી આદેશ સુધી રજા આપવામાં આવશે નહીં.

પંજાબ સરકારના મંત્રી હરજોત સિંહ બેન્સે કહ્યું છે કે બદલાતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, એવો આદેશ આપવામાં આવે છે કે પંજાબની તમામ સરકારી અને ખાનગી શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટીઓ આગામી ત્રણ દિવસ માટે સંપૂર્ણપણે બંધ રહેશે. પંજાબના તમામ પોલીસકર્મીઓની રજા રદ કરવામાં આવી છે.અધિકારીઓએ આ માહિતી આપી. પોલીસ મહાનિર્દેશકના કાર્યાલય દ્વારા જારી કરાયેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે, "સક્ષમ અધિકારીની મંજૂરીથી ફક્ત ખાસ પરિસ્થિતિઓમાં જ રજાઓ મંજૂર કરવી જોઈએ." પંજાબના છ સરહદી જિલ્લાઓ - ફિરોઝપુર, પઠાણકોટ, ફાઝિલ્કા, અમૃતસર, ગુરદાસપુર અને તરનતારનની બધી શાળાઓ આગામી આદેશો સુધી બંધ રાખવામાં આવી છે.

રાજસ્થાન સરકારે આંતરરાષ્ટ્રીય સરહદ પર તૈનાત વહીવટી અને પોલીસ કર્મચારીઓની રજાઓ પણ રદ કરી દીધી છે અને પાંચ સરહદી જિલ્લાઓમાં શાળાઓ બંધ કરી દીધી છે. હવાઈ ​​હુમલાના સંભવિત ખતરાથી બચવા માટે, આ વિસ્તારોમાં શુક્રવારે મધ્યરાત્રિથી સવારે 4 વાગ્યા સુધી આગામી સૂચના સુધી બ્લેકઆઉટ લાદવામાં આવ્યો છે.

  • Follow us on: