ભારતીય નૌકાદળે પાકિસ્તાનના કરાચી બંદરને નષ્ટ કરી દીધું છે. નૌકાદળના હુમલામાં નૌકાદળે કરાચી બંદર પર શ્રેણીબદ્ધ મિસાઇલો છોડી છે. આ હુમલાઓમાં કરાચી બંદર સંપૂર્ણપણે નાશ પામ્યું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. પહેલગામ આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાન સાથે વધી રહેલા તણાવ વચ્ચે, ભારતીય નૌકાદળે અરબી સમુદ્રમાં INS વિક્રાંત તૈનાત કરી દીધું છે. 


આ નૌકાદળના સ્ટ્રાઈક જહાજને કારવાર કિનારા નજીક તૈનાત કરવામાં આવ્યું હતું. તેના સ્ટ્રાઈક ગ્રુપમાં એરક્રાફ્ટ કેરિયર, ડિસ્ટ્રોયર, ફ્રિગેટ્સ, એન્ટી-સબમરીન યુદ્ધ જહાજો અને અન્ય સપોર્ટ જહાજોનો સમાવેશ થાય છે. ઉદાહરણ તરીકે, ભારતની ત્રણેય સેનાઓએ સાથે મળીને પહેલા પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો અને ત્યારબાદ એવું લાગે છે કે પાકિસ્તાને યુદ્ધનો નિર્ણય લીધો છે, જેનો સશસ્ત્ર દળો યોગ્ય જવાબ આપી રહ્યા છે. 

સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે ઇસ્લામાબાદ દ્વારા જમ્મુ અને પંજાબમાં અનેક સ્થળોએ હુમલાઓ કર્યા બાદ આ હુમલો કરવામાં આવ્યો હતો.ભારતની વાયુ સંરક્ષણ પ્રણાલીએ પાકિસ્તાનના F-16 અને બે JF-17 વિમાનોને તોડી પાડ્યા છે.  સૂત્રોએ જણાવ્યું હતું કે ભારતે પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં પાકિસ્તાનની એરબોર્ન વોર્નિંગ એન્ડ કંટ્રોલ સિસ્ટમ (AWACS) ને પણ તોડી પાડી હતી. આ હુમલો પાકિસ્તાનની સરહદની અંદર થયો હતો. 

જમ્મુ અને કાશ્મીરના ઉધમપુર અને રાજસ્થાનના જેસલમેરમાં પણ ડ્રોન હુમલા નિષ્ફળ બનાવવામાં આવ્યા હતા અને અખનૂરમાં એક ડ્રોનને તોડી પાડવામાં આવ્યું હતું. પૂંછમાં બે કામિકાઝ ડ્રોનને પણ તોડી પાડવામાં આવ્યા હતા.  

  • Follow us on: