પાકિસ્તાનના હુમલાનો ભારતે વળતો જવાબ આપ્યો છે. ભારતે પાકિસ્તાનના લાહોરમાં ડ્રોનથી હુમલો કર્યો છે. પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા મિસાઇલ હુમલાના નિષ્ફળ પ્રયાસોનો ભારતે યોગ્ય જવાબ આપ્યો છે. આ પછી, ભારતે હવે પાકિસ્તાનના લોહાર પર ડ્રોન હુમલો કર્યો છે. અગાઉ, પાકિસ્તાને જમ્મુ, રાજસ્થાન અને પંજાબના અનેક વિસ્તારોમાં ડ્રોન હુમલાઓનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો.
ભારતે તેની કાઉન્ટર ડ્રોન સિસ્ટમ, S-400 નો ઉપયોગ કરીને પાકિસ્તાનની બધી મિસાઇલો તોડી પાડી. એટલું જ નહીં, ભારતે પાકિસ્તાનના ઘણા ફાઇટર જેટને પણ તોડી પાડ્યા છે. ભારતે પાકિસ્તાનના 2 JF 17 અને એક F-16 તોડી પાડ્યા છે. આ પાકિસ્તાની લડાકુ વિમાનો ભારતીય ક્ષેત્રમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યા હતા, જેને ભારતે તોડી પાડ્યા છે.













