ભારત અને પાકિસ્તાન વચ્ચે નિયંત્રણ રેખા (LoC) પર તણાવ વધી રહ્યો છે. 7 મે 2025 ના રોજ, જમ્મુ અને કાશ્મીરના પૂંછ જિલ્લામાં એક કોન્વેન્ટ સ્કૂલના બે વિદ્યાર્થીઓ પાકિસ્તાન તરફથી થયેલા ગોળીબારમાં માર્યા ગયા હતા.
આ હુમલામાં ઘણા નાગરિકો ઘાયલ થયા હતા, અને પાકિસ્તાને ગુરુદ્વારા સહિત રહેઠાણ વિસ્તારોને નિશાન બનાવ્યા હતા. ભારતે ધીરજ રાખીને પાકિસ્તાનમાં ચાર આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કરીને બદલો લીધો હતો. શુક્રવારે વિદેશ મંત્રાલય અને સેના દ્વારા આ માહિતી આપવામાં આવી હતી.
પાકિસ્તાન દ્વારા ઉશ્કેરણીજનક કાર્યવાહી
વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ જણાવ્યું હતું કે પાકિસ્તાને પૂંછ, રાજૌરી, તંગધાર અને ઉરી જેવા વિસ્તારોમાં ભારે ગોળીબારી કરી હતી, જેમાં ઘણા ભારતીય સૈનિકો પણ ઘાયલ થયા હતા. પાકિસ્તાને રહેઠાણ વિસ્તારોને નિશાન બનાવ્યા, ખાસ કરીને પૂંછમાં એક ગુરુદ્વારાને નિશાનો બનાવામાં આવ્યો હતો. વિદેશ સચિવે કહ્યું કે પાકિસ્તાને તેના એરપોર્ટ અને ફ્લાઇટ્સ બંધ કર્યા નથી અને તેનો ઉપયોગ ઢાલ તરીકે કર્યો છે. પાકિસ્તાને LoC ના રહેઠાણ વિસ્તારો પર હુમલો કર્યો હતો. તેમણે તેને "ઉશ્કેરણીજનક અને બેજવાબદાર" કાર્યવાહી ગણાવી.
પૂંછમાં શાળા પર હુમલો, નાગરિકોમાં ભય
પૂંછમાં એક કોન્વેન્ટ સ્કૂલ પર પાકિસ્તાની ગોળીબાર દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં બે વિદ્યાર્થીઓના મોત થયા હતા. પૂંછમાં નિર્દોષ વિદ્યાર્થીઓના મોત અને નાગરિક વિસ્તારો પરના હુમલાઓએ પરિસ્થિતિને ગંભીર બનાવી દીધી છે. આ હુમલાથી સ્થાનિક નાગરિકોમાં ભય ફેલાયો હતો.
તેણે શાળાની નીચે હોલમાં છુપાઈને પોતાનો જીવ બચાવ્યો.
વિદેશ સચિવે કહ્યું કે અમારી પાસે 7 મેની સવારે થયેલી એક ઘટના વિશે કેટલીક માહિતી છે, પાકિસ્તાન દ્વારા છોડવામાં આવેલ એક ગોળો ક્રાઇસ્ટ સ્કૂલની પાછળ પડ્યો હતો. ગોળો બે વિદ્યાર્થીઓના ઘર પર પડ્યો અને બંને વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યા હતા અને તેના માતા-પિતા ઘાયલ થયા હતા. બીજો પાકિસ્તાની ગોળો એક ખ્રિસ્તી નન્ના કોન્વેન્ટ પર પડ્યો, જેનાથી પાણીની ટાંકીઓ અને સોલાર પેનલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન થયું. ઘણા લોકો ક્રાઇસ્ટ સ્કૂલ નીચે ભોંયરામાં જતા રહ્યા હતા. શાળા બંધ હતી, નહીંતર વધુ નુકસાન થઈ શક્યું હોત.
પાકિસ્તાને 300 થી 400 ડ્રોનથી હુમલો કર્યો, ભારતે પણ વળતો જવાબ આપ્યો
કર્નલ સોફિયા કુરેશીએ જણાવ્યું કે, પાકિસ્તાને 300 થી 400 ડ્રોનનો ઉપયોગ કરીને ભારતીય લશ્કરી સ્થાપનો, ખાસ કરીને વાયુસેના સ્ટેશનોને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો. ડ્રોનની તપાસ કરવામાં આવી રહી છે. તપાસમાં જાણવા મળ્યું છે કે ડ્રોન તુર્કીના છે. ભારતીય વાયુસેનાએ સંકલિત કાઉન્ટર-યુએએસ ગ્રીડ અને હવાઈ સંરક્ષણ પ્રણાલીઓ દ્વારા આ હુમલાઓને અસફળ બનાવ્યા હતા.
ભારતનો બદલો અને વૈશ્વિક અપીલ
ભારતે પાકિસ્તાનમાં ચાર આતંકવાદી ઠેકાણાઓ પર હુમલા કર્યા છે. બીજી તરફ, તેમણે આતંકવાદ સામે કાર્યવાહી કરવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાન પર દબાણ લાવવાની અપીલ કરી.