ઓપરેશન સિંદૂર પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદ પર તણાવ છે. ગુરુવાર પછી, શુક્રવાર મોડી સાંજથી, પાકિસ્તાને ભારતના 26 શહેરોમાં વસ્તીવાળા વિસ્તારોને નિશાન બનાવીને સતત ડ્રોન હુમલા કર્યા, જેને ભારતીય સંરક્ષણ પ્રણાલી દ્વારા સંપૂર્ણપણે નિષ્ફળ બનાવવામાં આવ્યા. આ દરમિયાન, પાકિસ્તાન સેનાએ દાવો કર્યો છે કે ભારતે છ બેલિસ્ટિક મિસાઇલો છોડી છે.
પાકિસ્તાને આને ભારતનું બેજવાબદાર કૃત્ય ગણાવ્યું છે. જે બાદ પાકિસ્તાને એરબેઝ બંધ કરી દીધું અને NOTAM જારી કર્યું. જોકે, ભારત સરકાર દ્વારા હજુ સુધી આ હુમલા અંગે કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી. ભારતીય મિસાઈલોએ પાકિસ્તાનના ચાર એરબેઝ રાવલપિંડી, મુરીદ ચક્રવાલ, સોરકોટ અને નૂરખાનને નિશાન બનાવ્યા છે.
પાકિસ્તાની સેનાએ શું કહ્યું?
મીડિયા સાથે વાત કરતી વખતે, પાકિસ્તાની સેનાના જનસંપર્ક વિભાગ, ISPR ના ડાયરેક્ટર જનરલ લેફ્ટનન્ટ જનરલ અહેમદ શરીફ ચૌધરીએ જણાવ્યું હતું કે ભારત તરફથી છ બેલિસ્ટિક મિસાઇલો છોડવામાં આવી છે. આ મિસાઇલો ભારત દ્વારા જાલંધરના આદમપુર એરબેઝ પરથી છોડવામાં આવી હતી. જનરલ અહેમદે ભારતના આ પગલાનો વિરોધ કર્યો છે અને તેને બેજવાબદાર અને અત્યંત ખતરનાક ગણાવ્યું છે. જો ભારતનું આ આક્રમક વલણ ચાલુ રહેશે તો પરિસ્થિતિ વધુ તંગ બનશે.
પાકિસ્તાને હવાઈ ક્ષેત્ર બંધ કર્યું
ભારત સાથે વધતા તણાવ વચ્ચે, પાકિસ્તાને તેના હવાઈ ક્ષેત્રને સંપૂર્ણપણે બંધ કરવાનો નિર્ણય લીધો છે. બપોરે 12 વાગ્યા સુધી બધી ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. રાવલપિંડી અને રફીકી એરબેઝ પર થયેલા વિસ્ફોટો બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
પાકિસ્તાની એરબેઝ પર વિસ્ફોટ
પાકિસ્તાને આરોપ લગાવ્યો છે કે ભારતે ચાર એરબેઝ પર હુમલો કર્યો છે. રાવલપિંડી, ઇસ્લામાબાદ અને લાહોરમાં અનેક મોટા વિસ્ફોટોના સમારાચ આવ્યા હતા, જેના પડઘા દૂર દૂર સુધી અનુભવાયા હતા, જેના કારણે લોકોમાં ગભરાટ ફેલાયો હતો અને તેઓ પોતાના ઘરની બહાર નીકળી આવ્યા હતા.
પાકિસ્તાનના રાવલપિંડીમાં નૂર ખાન એરબેઝ પાસે વિસ્ફોટ થયો છે. પંજાબ પ્રાંતના શોરકોટના ઝંગમાં રફીકી એરબેઝ પાસે વિસ્ફોટ થયો છે. ચકવાલમાં મુરીદ બેઝ પાસે વિસ્ફોટ થયાના પણ સમાચાર છે.