સુરક્ષા દળોએ શનિવારે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી છે. અનંતનાગ જિલ્લાના શ્રીનગર ખાનયાર અને લાર્નૂમાં આતંકવાદીઓ વિરુદ્ધ સુરક્ષા દળોની કાર્યવાહી ચાલી રહી છે. જેમાં બે આતંકવાદીઓ માર્યા ગયા છે, જ્યારે ચાર સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા છે.


કાશ્મીર ડિવિઝનમાં બે જગ્યાએ સુરક્ષા જવાનો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. જેમાં સુરક્ષાદળોએ બે આતંકીઓને ઠાર કર્યા છે, જ્યારે ચાર સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા છે. કાશ્મીર વિભાગના શ્રીનગર જિલ્લામાં વહેલી સવારથી ખાનયારમાં એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ એન્કાઉન્ટરમાં 1-2 આતંકીઓ છુપાયા હોવાની આશંકા છે. શ્રીનગર ખાનયાર રહેણાંક વિસ્તાર છે, તેથી સુરક્ષા દળો કોલેટરલ ડેમેજ ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા છે, જેના પરિણામે ઓપરેશનમાં સમય લાગી રહ્યો છે.

બીજી એન્કાઉન્ટર દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના લાર્નુમાં જોવા મળી હતી, જેમાં સેનાએ બે આતંકવાદીઓને માર્યાની પુષ્ટિ કરી છે. મધ્ય કાશ્મીરના બડગામ જિલ્લામાં શુક્રવારે સાંજે સેનાના વાહન પર ફાયરિંગની ઘટના બાદ બાંદીપોરામાં મોટા પાયે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.

અથડામણમાં 4 સુરક્ષાકર્મીઓ ઘાયલ

મધ્ય કાશ્મીરના બડગામ જિલ્લાના મગામમાં ગઈકાલે રાત્રે આતંકવાદીઓએ હુમલો કરીને બે પરપ્રાંતિય મજૂરોને ઘાયલ કર્યા હતા, જેના પરિણામે હુમલાખોરોને શોધવા માટે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. શ્રીનગરમાં સવારથી ચાલી રહેલા એન્કાઉન્ટરમાં 4 સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા છે, જેમાં જમ્મુ કાશ્મીર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના 2 અને CRPF ક્વિક એક્શન ટીમના 2 જવાનોનો સમાવેશ થાય છે. શ્રીનગરમાં લગભગ 7 કલાકથી એન્કાઉન્ટર ચાલી રહ્યું છે.

  • Follow us on: