- આતંકી હુમલા અંગે જમ્મુ-કાશ્મીરના DGPનું નિવેદન
- "પાકિસ્તાનથી આતંકવાદીઓ મોકલવામાં આવી રહ્યા છે"
- 50 લોકોની અટકાયત કરવામાં આવી છે: DGP
જમ્મુ અને કાશ્મીરના DGP આરઆર સ્વૈને ગુરુવારે રિયાસીની મુલાકાત લીધી હતી. સ્વૈને કહ્યું કે જમ્મુમાં થયેલા હુમલા પાકિસ્તાની આતંકવાદીઓ દ્વારા કરવામાં આવ્યા હતા. પાકિસ્તાન પોતાના છોકરાઓને આતંકવાદમાં ભરતી કરી રહ્યું છે અને જમ્મુ-કાશ્મીરમાં હુમલા કરવા માટે મોકલી રહ્યું છે. તે સુધરવાનો નથી. દરેક આતંકવાદીને શોધીને મારવામાં આવશે.
DGP આરઆર સ્વૈને સૌથી મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે, આતંકવાદ વિરુદ્ધ ઝડપી કાર્યવાહી કરવામાં આવી રહી છે. દરેક આતંકવાદીને મારવામાં આવશે. જમ્મુમાં થયેલા આતંકી હુમલા અંગે DGP આરઆર સ્વૈને કહ્યું કે, જમ્મુમાં થયેલા હુમલા પાકિસ્તાની આતંકવાદીઓ દ્વારા કરવામાં આવ્યા હતા. જમ્મુ-કાશ્મીરમાં હવે આતંકવાદીઓની ભરતી થતી નથી. તેથી જ પાકિસ્તાન પોતાના છોકરાઓને આતંકવાદમાં ભરતી કરી રહ્યું છે અને જમ્મુ-કાશ્મીરમાં હુમલા કરવા માટે મોકલી રહ્યું છે. પાકિસ્તાન સુધરવાનું નથી પરંતુ તેને જડબાતોડ જવાબ આપવામાં આવી રહ્યો છે. દરેક આતંકવાદીને શોધીને ઠાર કરવામાં આવશે.













