- જમ્મુ-કાશ્મીરમાં શ્રદ્વાળુઓથી ભરેલી બસ પર આતંકી હુમલામાં 10નાં મોત, 33 ઘાયલ થયા
- આતંકી હુમલાને લઈ કેન્દ્રીય પ્રધાન અમિત શાહનું નિવેદન સામે આવ્યું
- આતંકવાદીઓને કોઈ હિસાબે છોડવામાં નહિ આવે: અમિત શાહ
રવિવારે સાંજે દેશના રાષ્ટ્રપતિ ભવનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકાર અને તેઓના મંત્રી મંડળનો શપથ સમારોહ ચાલી રહ્યો હતો આ દરમિયાન દેશના ઉત્તર ભાગ એવા જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલાની ઘટના સામે આવી છે. જેમાં શ્રદ્ધાળુઓથી ભરેલી બસ વૈષ્ણોદેવી દર્શને જઈ રહી હતી તે સમયે આતંકીઓએ ડ્રાયવર પર હુમલો કર્યો હતો જેથી બસ ખીણમાં જઈ ખાબકી.













