- કોલકાતા દુષ્કર્મ-હત્યા કેસ મામલે તપાસનો ધમધમાટ
- હોસ્પિટલમાં કથિત નાણાકીય ગેરરીતિઓની તપાસ કરાશે
- સમગ્ર મામલે તપાસ કરવા માટે SITની રચના કરવામાં આવી
પશ્ચિમ બંગાળ સરકારે આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં કથિત નાણાકીય ગેરરીતિઓની તપાસ કરવા માટે SITની રચના કરવામાં આવી છે. તાજેતરમાં આ જ હોસ્પિટલમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ટ્રેઇની ડોક્ટરનો મૃતદેહ મળી આવ્યો હતો. ચાર સભ્યોની SITનું નેતૃત્વ સ્વામી વિવેકાનંદ રાજ્ય પોલીસ અકાદમીના મહાનિરીક્ષક ડૉ. પ્રણવ કુમાર કરશે.
મળતી માહિતી મુજબ, કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં 9 ઓગસ્ટના રોજ બનેલા બળાત્કાર-હત્યાની ઘટના બાદ દેશભરના લોકો ગુસ્સાથી ભરાઈ ગયા છે. પીડિતાના માતા-પિતાનું કહેવું છે કે તેમને કોઈ આધાર નથી મળી રહ્યો અને તેઓ હજુ પણ ન્યાયની માંગ કરી રહ્યા છે. પીડિતાના પિતાએ એમ પણ કહ્યું હતું કે આ ગુનામાં માત્ર એક જ વ્યક્તિ સામેલ નથી. ઘણા ડોક્ટરોએ પણ આ વાત સ્વીકારી છે. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે 9 ઓગસ્ટના રોજ જુનિયર ડોક્ટર પર બળાત્કાર અને હત્યા પહેલા એક પોસ્ટ ગ્રેજ્યુએટ ટ્રેઇની ડોક્ટરનો મૃતદેહ પણ આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાંથી મળી આવ્યો હતો.













