ભોપાલના જંગલમાં એક બિનવારસી કારમાંથી ઇનકમ ટેક્સ વિભાગના અધિકારીઓને મોટા જથ્થામાં સોનું અને રોકડ રકમ મળી આવી છે. ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશના ભોપાલ ઉપરાંત ઇન્દોર અને ગ્વાલિયરમાં પણ આઇટી વિભાગ દરોડા પડી રહ્યું છે. ભોપાલમાં ત્રિશુલ કન્સ્ટ્રક્શન કંપનીના માલિક અને રિયલ એસ્ટેટ બિઝનેસમેન રાજેશ શર્માના અનેક સ્થળો પર ઇનકમ ટેક્સ વિભાગના દરોડા ચાલુ છે. તેમની સાથે જોડાયેલા લોકોના ઘર પર પણ દરોડા પાડવામાં આવ્યા રહ્યા છે. તપાસ ટીમને અત્યાર સુધીમાં રાજેશ શર્માના 10 લોકરની માહિતી મળી છે. આ ઉપરાંત જવેલરીનો જંગી જથ્થો મળી આવ્યો છે.
બિનવારસી કાર અને અધધધ.... સોનું !
આઇટી વિભાગની ટીમને ગઇકાલે મોડીરાત્રે રતિબાદ વિસ્તારના મેન્ડોરાના જંગલમાં લાવારિસ એક ક્રેટા કાર મળી આવી હતી. અધિકારીઓ દ્વારા કારમાં રહેલ બે બેગમાંથી આશરે 52 કિલો સોનું જપ્ત કરવામાં આવ્યું હતું. ભારતીય બજારમાં તેની કિંમત આશરે 42 કરોડ રૂપિયા હોવાનો અંદાજ લગાવાઇ રહ્યો છે. આ ઉપરાંત 10 કરોડ રૂપિયાની રોકડ પણ જપ્ત કરવામાં આવી છે. ત્યારે આ કાર કોની છે તે દિશામાં તપાસ શરૂ કરાઇ છે.
આઇટી વિભાગના નિશાના પર શકમંદો
અત્રે નોંધીનીય છે કે ઇનકમ ટેક્સ વિભાગની ટીમ છેલ્લા 2 દિવસથી અલગ અલગ સ્થળોએ દરોડા પડી રહી છે. જેમાં ભોપાલ, ગ્વાલિયર અને ઈન્દોરમાં 52 સ્થળો પર દરોડા પાડ્યા છે. જેમાંથી 49 સ્થળો ભોપાલમાં, 2 ઈન્દોરમાં અને ગ્વાલિયરમાં 1 બિલ્ડર પર દરોડા પાડવામાં આવ્યા છે. ભોપાલ ઉપરાંત ઈન્દોર અને ગ્વાલિયરમાં પણ ભોપાલ, નીલબાદ, એમપી નગર, કસ્તુરબા નગર, હોશંગાબાદ રોડ, 10 નંબર માર્કેટ, મેંદોરી, મેન્ડોરા, આરપીએમ ટાઉનમાં અલગ-અલગ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. ઈન્દોરમાં પણ ત્રિશુલ કન્સ્ટ્રક્શનના આદિત્ય ગર્ગ પર દરોડા પાડવામાં આવ્યા હતા. ગ્વાલિયરમાં રામવીર સિકરવારના ઘર પર દરોડા પાડવામાં આવ્યા છે.
ભોપાલમાં રિયલ એસ્ટેટ બિઝનેસમેન ક્વાલિટી ગ્રુપ, ઈશાન ગ્રુપ અને રાજેશ શર્માના ત્રિશુલ કન્સ્ટ્રક્શન ગ્રુપના ઘર પર દરોડા પાડવામાં આવ્યા છે. તે જ સમયે, ગ્વાલિયરમાં રામવીર સિકરવારના ઘર પર દરોડા પાડવામાં આવ્યા છે. EDએ થોડા મહિના પહેલા રામવીરના સ્થાન પર પણ દરોડા પાડ્યા હતા. રામવીર પ્રોપર્ટી ખરીદવા અને વેચવાનો સોદો કરે છે. તેની પાસેથી 5 એકર જમીન ખરીદવાના દસ્તાવેજો પણ મળી આવ્યા છે. આ ઉપરાંત અન્ય સ્થળોએ પણ કાર્યવાહી ચાલી રહી છે.
ત્રિશૂલ કન્સ્ટ્રક્શનના માલિક રાજેશ શર્મા ધરાવે છે મોટી વગ
તપાસ ટીમને અત્યાર સુધીમાં રાજેશ શર્માના 10 લોકરની માહિતી મળી છે. આ ઉપરાંત જવેલરીનો જંગી જથ્થો મળી આવ્યો છે. તેનું મૂલ્યાંકન કરવાનું બાકી છે. આ કંપનીઓ ભોપાલ, ઈન્દોર ઉપરાંત જબલપુર, કટની અને રાયપુરની છે. રોકાણમાં છત્તીસગઢના એક મોટા ખાણ ઉદ્યોગપતિનું નામ પણ સામે આવ્યું છે. આ સિવાય 300 કરોડ રૂપિયાના રોકાણની માહિતી મળી છે.
કંપનીને સીએમ રાઇઝ સ્કૂલનો કોન્ટ્રાક્ટ પણ મળ્યો હતો. માઇનિંગ અને કન્સ્ટ્રક્શન બિઝનેસ સાથે જોડાયેલા રાજેશ શર્મા ભૂતપૂર્વ મુખ્ય સચિવના નજીકના માનવામાં આવે છે. ત્રિશુલ કન્સ્ટ્રક્શન કંપનીના માલિક હોવા ઉપરાંત, રાજેશ શર્મા ભોપાલમાં ક્રશર ઓપરેટર્સના સંગઠનનું પણ નેતૃત્વ કરે છે. તે રાજધાની અને આસપાસના વિસ્તારોમાં ખાણકામના કોન્ટ્રાક્ટ અને ક્રશર કામગીરીનું કામ પણ કરી રહ્યો છે. રાજેશ શર્માની શાસક પક્ષના અનેક નેતાઓ સાથે મિત્રતા છે. જેના કારણે તેમને સીએમ રાઇઝ સ્કૂલના નિર્માણનું કામ પણ મળ્યું.