પ્રયાગરાજ કુંભમેળાથી લાઈવ 45 દિવસમા કરોડો સનાતનીઓ એકઠા થાય તે દેશ અને દુનિયા માટે આઠમી અજાયબી સમાન છે. આ અજાયબી પ્રયાગરાજ સ્થિત ચાલી રહેલા કુંભમેળાનું ભ્રમણ કરતા યથાર્થ ઠરી રહી છે.
કુંભમેળા ની યાત્રા સમયે અહીંના રીક્ષા ચાલક એ જણાવ્યું હતુ કે ૨૭ કિમિ ના વિસ્તારમા મેળો ચાલી રહ્યો છે.અહીં હિન્દૂ સનાતનીઓના અલગ અલગ સંપ્રદાયના પાંચેક હજાર જેટલા પંડાલ ઉભા કરવામાં આવ્યા છે. દરેક પંડાલને અલગ અલગ લાઈટો,રોશનીથી શણગારવામાં આવ્યા છે.













