પ્રયાગરાજ મહાકુંભને લઇને વિપક્ષ દ્વારા તૈયારી અને આયોજન મામલે સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. પશ્ચિમ બંગાળ સીએમ મમતા બેનર્જીએ મહાકુંભને મૃત્યુકુંભ ગણાવ્યો જ્યારે લાલુ યાદવ ફાલતુ ગણાવી રહ્યા છે. ત્યારે આ બધા મામલે સીએમ યોગી આદિત્યનાથે વિપક્ષને વળતો જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે મહાકુંભ પર રાજનીતિ કરવી યોગ્ય નથી. તેમણે એમ પણ કહ્યું કે સનાતનના આયોજનને ભવ્યતાથી કરવુ એ કોઇ ગુનો નથી. મહાકુંભ પર પાયાવિહોણા આરોપો લગાવવા એ ૫૬ કરોડ ભક્તોની શ્રદ્ધા સાથે રમવા જેવું છે.
બધાએ કુંભ જવુ જોઇએ- સીએમ યોગી
સીએમ યોગીએ વિપક્ષ પર હુમલો કરતા વિધાનસભામાં કહ્યુ કે જ્યારે અમે રાજ્યના 24-25 કરોડ લોકોને બચાવવા માટે કામ કરી રહ્યા હતા, ત્યારે આ જ લોકો અમારી મજાક ઉડાવી રહ્યા હતા. જ્યારે અયોધ્યામાં રામલાલની સ્થાપના થાય છે, ત્યારે સમાજવાદી પાર્ટી તેનો પણ વિરોધ કરે છે. શિવપાલજી ફક્ત પશ્ચિમ તરફ જ જાય છે. સીએમ યોગીએ વધુમાં કહ્યું કે હું માનનીય રાષ્ટ્રપતિને કહીશ કે બધા સભ્યોને કુંભમાં લઈ જવા જોઈએ. દરેક વ્યક્તિએ શ્રદ્ધાનો ડૂબકી લગાવવી જોઈએ. દરેકને તક મળવી જોઈએ. અમારી સરકારને બધાને જોડવાની તક મળી છે.
સનાતનનું અપમાન કરી રહ્યા છે- સીએમ યોગી
સીએમ યોગીએ એમ પણ કહ્યું કે મહાકુંભમાં નાસભાગથી 30 લોકોના મોત થયા. સાથે જ જણાવ્યુંકે ભાગદોડ મામલે રાજનીતિ કરવી યોગ્ય નથી. તેમણે એસપી અધ્યક્ષે સ્નાન કર્યુ મહાકુંભમાં તેને લઇને ટકોર કરી કે એકલા આવ્યા એના કરતા પરિવાર સાથે આવ્યા હોત. સાથે જ મમતા બેનર્જી અને લાલુ પ્રસાદની ટિપ્પણીને લઇને કહ્યું કે સનાતનનું અપમાન કરવામાં આવી રહ્યુ છે. અત્યાર સુધી 56 કરોડ શ્રદ્ધાળુઓએ સ્નાન કર્યું છે.
પાણીની ગુણવત્તા પર ઉઠાવે છે સવાલો- સીએમ યોગી
મહાકુંભના પાણીને લઇને શરૂ થયેલા વિવાદ અંગે સીએમ યોગીએ કહ્યું કે પાણીની ગુણવત્તા પર પણ પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. 2013માં અવ્યવસ્થા જોઇને મૉરીશસએ સ્નાન કરવાનો ઇનકાર કરી દીધો હતો. ગંગાજી હોય કે યમુનાજી, બધા નાળાઓને શુદ્ધિકરણના હેતુથી છોડવામાં આવી રહ્યા છે. આ બંને માટે ધોરણો નક્કી કરવામાં આવ્યા છે.
સીએમ યોગીએ કહ્યું કે કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના રિપોર્ટના આધારે સંગમમાં સ્નાન કરવું જોઈએ. આ એક જૂનો અહેવાલ છે અને તે તેના આધારે ચલાવવામાં આવ્યો છે. પરંતુ તેઓ જે પ્રચાર ફેલાવી રહ્યા છે તે સંગમને બદનામ કરવાનો જ એક ભાગ છે.
પુરાણોમાં કુંભનો ઉલ્લેખ
સમાજવાદી પાર્ટી પર પ્રહાર કરતા સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે વિપક્ષે કોવિડની પણ મજાક ઉડાવી છે. આ લોકો વેક્સિનને ભાજપની રસી કહેતા હતા. હવે કુંભનો વિરોધ કરવો તેમની મજબૂરી છે. તેમણે કહ્યું કે 2017 પહેલા, યુપીના લોકો ઓળખના સંકટનો સામનો કરી રહ્યા હતા. પરંતુ છેલ્લા 8 વર્ષમાં યુપીની છબી બદલાઈ ગઈ છે. હવે યુપીના લોકોને સન્માન મળે છે. 5 હજાર વર્ષ પહેલાં પણ પુરાણોમાં કુંભનો ઉલ્લેખ છે.