• ગેરકાયદે બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે કાર્યવાહી
  • ફેક દસ્તાવજ બનાવીને બનાવ્યા પાસપોર્ટ
  • 42 બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે કાર્યવાહી

મહારાષ્ટ્રમાં બાંગ્લાદેશીઓ ગેરકાયદેસર રીતે રહી રહ્યા હોવાનું અનેકવાર સામે આવે છે. નકલી દસ્તાવેજોના આધારે તેમની પાસેથી ભારતીય પાસપોર્ટ જપ્ત કરવાના ઘણા કિસ્સાઓ પણ સામે આવ્યા છે. ત્યારે પિંપરી-ચિંચવડ એન્ટી ટેરરિસ્ટ બ્રાન્ચએ 42 બાંગ્લાદેશી ઘૂસણખોરોના ભારતીય પાસપોર્ટ રદ કરવામાં સફળતા મેળવી છે.

જાન્યુઆરીમાં મળી હતી માહિતી

જાન્યુઆરી મહિનામાં ATBને ગુપ્ત માહિતી મળી હતી કે નિગડી પોલીસ સ્ટેશનની હદમાં આવેલા સાંઈ નગરમાં પાંચ બાંગ્લાદેશીઓ રહે છે. નિગડી પોલીસે તેઓની ટ્રેસ કરીને ધરપકડ કરી હતી. આ દરમિયાન પોલીસે પાસપોર્ટ એજન્ટની પણ પૂછપરછ કરી હતી જે બાંગ્લાદેશીઓના સંપર્કમાં હતો. 2015થી તે પાસપોર્ટ એજન્ટ બાંગ્લાદેશી નાગરિકોના સંપર્કમાં હતો.

ATBએ કાર્યવાહી કરી

પોલીસની માહિતી અને મોબાઈલ ફોનની મદદથી પિંપરી-ચિંચવડ એટીબી, વિદેશી રાષ્ટ્રીય નોંધણી વિભાગ અને વિશેષ શાખા 2ની મદદથી 42 બાંગ્લાદેશીઓના પાસપોર્ટ રદ કરવા માટે પ્રાદેશિક પાસપોર્ટ ઑફિસ, પુણેનો સંપર્ક કર્યો હતો.

પાસપોર્ટ કરાયા રદ

બનાવટી દસ્તાવેજોના આધારે 42 પાસપોર્ટ બનાવવામાં આવ્યા હતા. આ મામલાને અત્યંત સંવેદનશીલતા સાથે સંભાળીને પુણે પાસપોર્ટ ઓફિસે 42 બાંગ્લાદેશી ઘૂસણખોરોના ભારતીય પાસપોર્ટ રદ કર્યા છે. આ સમગ્ર પ્રક્રિયામાં છ મહિનાનો સમય લાગ્યો હતો. પિંપરી-ચિંચવડ પોલીસ કમિશનર વિનયકુમાર ચૌબેના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે.


  • Follow us on: