- મહારાષ્ટ્રમાં ફરી મોબ લિંચિંગ થયુ છે
- આ વખતે મોબ લિચિંગનો શિકાર સાધુ થયા છે
- આ હુમલો મંદિરના પૂજારી પર કરવામાં આવ્યો છે
મહારાષ્ટ્રમાં ફરી મોબ લિંચિંગ થયુ છે. આ વખતે મોબ લિચિંગનો શિકાર સાધુ થયા છે. આ હુમલો મંદિરના પૂજારી પર કરવામાં આવ્યો છે. રાજ્યની રાજધાની મુંબઇમાં પૂજા કરી પરત ફરી રહેલા બે પુજારીઓ પર પાંચ લોકોએ લાકડી અને ડંડા વડે હુમલો કર્યો હતો. બંને સાધુઓ પર ચાકુથી વારંવાર હુમલો કરવામાં આવ્યો. ઘટનાને અંજામ આપીને આરોપી સ્થળ પરથી નાસી છુટ્યા છે. ખબર મળતાની સાથે જ પોલીસે પૂજારીઓને હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં સારવાર બાદ તેમને રજા આપી દેવામાં આવી છે.
આ મામલો કાંદિવલી લાલજીપાડ વિસ્તારની છે
આ મામલો કાંદિવલી લાલજીપાડ વિસ્તારની છે. સાંજે પૂજારીઓ મંદિરમાં પૂજા-પાઠ કરી પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન રસ્તા પર પાંચ લોકોએ તેમના પર હુમલો કર્યો. લાકડી-ડંડાથી પૂજારીઓને ફટકાર્યા ત્યારબાદ ચાકુ મારી ગંભીર રીતે ઇજાગ્રસ્ત કરી દીધા હતા. આસપાસ રહેતા લોકોએ પોલીસને જાણ કરી. માહિતી મળતાં જ કાંદિવલી પોલીસ ત્યાં પહોંચી અને પૂજારીઓને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કર્યા, જ્યાં સારવાર બાદ બંનેને રજા આપવામાં આવી.
પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી હતી
આ પછી કાંદિવલી પોલીસે આરોપીની શોધ શરૂ કરી. દરમિયાન હુમલો કરનાર બે આરોપીઓ પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા. પોલીસે બંનેને કસ્ટડીમાં લઈને પૂછપરછ હાથ ધરી છે. પોલીસ બાકીના આરોપીઓને શોધવામાં વ્યસ્ત છે. પોલીસે હુમલાના કારણ અંગે ધરપકડ કરાયેલા બંને આરોપીઓની પૂછપરછ કરી રહી છે. આ સમગ્ર ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં આરોપીઓ પૂજારીઓ સાથે મારપીટ કરતા જોવા મળે છે.
પાલઘરમાં 5 વર્ષ પહેલા સાધુઓની હત્યા કરવામાં આવી હતી
મહારાષ્ટ્રમાં પાલઘરમાં મોબ લિંચિંગનો મામલો ખૂબ ચર્ચામાં રહ્યો હતો. આ મામલો લગભગ 5 વર્ષ જૂનો છે. લોકડાઉન દરમિયાન 16 એપ્રિલ 2020ની રાત્રે સુશીલગીરી મહારાજ (35) અને કલ્પવૃક્ષ ગિરી મહારાજ (70)ને નિર્દયતાથી માર મારવામાં આવ્યા હતા. આ લોકો મુંબઈના કાંદિવલીથી નિલેશ તેલગડે (30) નામના ડ્રાઈવર સાથે ગુજરાતમાં સુરતમાં અંતિમ સંસ્કારમાં સામેલ થવા માટે કારમાં જઈ રહ્યા હતા. પાલઘરના ગડચિંચૈલ ગામમાં, ટોળાએ પોલીસ ટીમની હાજરીમાં તેમના પર હુમલો કર્યો અને ખૂબ જ બર્બરતાથી તેમની હત્યા કરી.